SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૬) જો કોઈ દેહાસક્ત, શરીરાભિમાની કે અશુદ્ધ અંત:કરણવાળો સમજ્યા વિના વિચારમાર્ગે જશે તો વિખૂટો પડશે અને તેને ખૂબ ખૂબ ભટકવું પડશે. વળી ભેદદર્શનથી તો તે વારંવાર જન્મમૃત્યુના ચક્રને જ પામશે. રાજ્યોગનો અધિકારી અપરોક્ષ અનુભૂતિ માટે ૧૫ અંગ સંયુક્ત નિદિધ્યાસન દર્શાવ્યું, જેને વૃત્તિઓના વિસ્મરણ રૂપ સમાધિ કહી તેને જ રાજ્યોગનું બિરુદ આપ્યું; તેનો અધિકારી કોણ અને કેવો હોય તેનો અંતિમ નિર્દેશ આપી, પોતાની અવ્યક્ત વાણીને વ્યક્ત કરવાનો જે લોકકલ્યાણાર્થે પ્રયત્ન કરેલો તે પાવન વાણી થંભાવતાં, સ્વરૂપમાં સ્થિર કરતાં ભગવાન શંકરાચાર્યજી કહે છે કે परिपक्कं मनोयेषां केवलोऽयं च सिद्धिदः । गुरुदैवत भक्तनां सर्वेषां सुलभो जवात् ॥ १४४ ॥ • =કારણ કે 7... વિમ્ મન: યેષામ્=જેનું મન પરિપક્વ છે, રાગદ્વેષથી રહિત છે તેઓને અયમ્ વત: સિદ્ધિવઃ-કેવળ આ રાજ્યોગ જ ફળ આપનાર છે (હઠયોગની જરૂર નથી.) ગુરુવેવત મત્તાનામ્ સર્વેષામ્=જે ગુરુ તથા ઇદેવના ભક્ત છે તે સર્વને નવાત્ મુત્તમ:-આ રાજ્યોગ ત્વરાથી પ્રાપ્ત થાય છે અને તેમને સુલભ છે. આ રાજ્યોગનો અધિકારી કોણ? કહ્યું છે કે “પિનાં મન: યેષામ્ (“Ripeness is all'' -shakespeare) જેમના ચિત્તમાં કષાય અદશ્ય છે તે જ આ રાજ્યોગના અધિકારી છે. અર્થાત્ જેના ચિત્તમાં રાગદ્વેષ નષ્ટ થયા છે, અંત:કરણ શુદ્ધ થયું છે, વિષયોની આસક્તિ સમાપ્ત થઈ છે અને જેના ચિત્તની વાસનાઓ સળગીને ભસ્મીભૂત થઈ છે તે જ આ રાજ્યોગનો અધિકારી છે. આવાં સૂચનથી એ પણ પ્રતિપાદિત છે કે જેનું અંત:કરણ અશુદ્ધ અને અપરિપક્વ છે તેને જ હઠયોગના સહરાની આવશ્યકતા છે. પણ જેનું ચિત્ત શુદ્ધ અને પરિપકવ છે તેને માટે હયોગ નિરર્થક અને અનાવશ્યક છે. વૃત્તિવિસ્મરણરૂપી સમાધિની પ્રાપ્તિ માટે તો માત્ર રાજ્યોગ પર્યાપ્ત છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy