SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૪) દશ્યથી અદશ્ય दृश्यं ह्यदृश्यतां नीत्वा ब्रह्माकारेण चिन्तयेत्। विद्वान् नित्यसुखे तिष्ठेद् धिया चिद्रसपूर्णया॥१४२॥ દૃરમ્ દિ કરતા નીત્વાકદરશ્ય જગતને અદશ્યબ્રહ્મમાં લીન કરી (જગતને બ્રહ્મ માનીને) તત દૃશ્ય રહાન ચિંતન્ત દશ્યને બ્રહ્માકાર વૃત્તિથી વિચારવું, વિકલા ધિયાચિસપૂર્ણ બુદ્ધિથી વિન નિત્યસુણે તિકે વિદ્વાને નિત્ય સુખમાં સ્થિતિ કરવી. આ અંતિમ સંદેશ છે, સંકેત છે. આદેશ છે - કાર્યથી કારણમાં જવાનો, દશ્યથી અદશ્યમાં જવાનો, સાકારથી નિરાકારમાં જવાનો, નામીથી અનામીમાં જવાનો, વ્યક્તથી અવ્યક્તમાં જવાનો, પ્રપંચથી પરમાત્મા તરફ જવાનો અને આરોપથી અધિષ્ઠાનમાં જવાનો. પણ સતત જાગૃતિથી વિચારવાનું કહ્યું છે કે કંઈક દશ્ય છે અને તેથી જ તેનો કટા અદશ્ય છે. જે “દશ્ય” વસ્તુ જ નથી તો અદશ્ય કષ્ટ કેવો? ચિંતન એ જ કરવાનું કે દૃશ્ય અને અદશ્ય સાપેક્ષ છે, દશ્ય અને અદય ભાવરૂપ છે, પણ હું તો બન્ને ભાવનો સાક્ષી છું. હું તો દશ્ય અને અદશ્યનું અધિષ્ઠાન છું. મારે કોઈ ભાવ નથી. મારામાં નથી કલ્પના, નથી અવસ્થા, નથી સૃષ્ટિ, નથી સર્જન, નથી સમાધિ, નથી વૃત્તિ, નથી સંશય, નથી નિર્ણય, નથી કાર્ય, નથી કારણ, નથી મારામાં.... જ્ઞાન જ્ઞાતા અને “નહીં જ્ઞાન જ્ઞાતા જોયમેંસે એક ભી હૈ વાસ્તવિકા મેં એક કેવલ સત્ય હું જ્ઞાનાદિ તીનોં કાલ્પનિક અજ્ઞાનસે જિસ માંહિ ભાસે જ્ઞાન જ્ઞાતા શેય હો સો મેં નિરંજન દેવ હું આશ્ચર્ય છે આશ્ચર્ય હો (ભાવાનુવાદ-અષ્ટાવક્સીતા-ભોલેબાબા) દશ્યપ્રપંચ નથી તેવું નથી, તે અનુભવગય છે જરૂર, પણ તે મારો જ પડછાયો છે. હું બિંબ છું અને દશ્ય સર્વ મારું જ પ્રતિબિંબ છે. દશ્ય વસ્તુ મારૂં જ પ્રતિબિંબ છે તેથી જ તે પ્રપંચ છે. હું છું અધિષ્ઠાન પંચમહાભૂતનું અને દશ્ય છે સર્જન પંચમહાભૂતનું. રખે કોઈ માને કે ગત છે, દશ્ય છે, તેથી હું છું. ના ના...ના. હું બિંબ છું
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy