________________
(૪૮૮)
વૃત્તિવિહીનની નિંદા અનેક જન્મોના પુણ્યકર્મોના સંચયથી જ અતિ મૂલ્યવાન માનવદેહ મળ્યો છે. તેનો જે સઉપયોગ કરતો નથી પણ જીવનનો સમય હાડકાં અને ચામડાં ચૂંથવામાં જ પસાર કરે છે અને મોક્ષ કે મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી તેની અહીં નિંદા અને તેવી વ્યક્તિના જીવનની વ્યર્થતા દર્શાવી છે.
ये हि वृत्तिं जहत्येनां ब्रह्माख्यां पावनी पराम्।
ते तु वृथैव जीवन्ति पशुभिश्च समा नराः ॥१३०॥ છે.. = જે બ્રહાયામ્ પાવનીમ્ પરમ્ = બ્રહ્મનામની પવિત્ર અને શ્રેષ્ઠ પનામુ વૃત્તિમ્ ગતિ = આ વૃત્તિને તજે છે, તે પશુમિ: ૨ સમા: ની: = તે નર પશુ સમાન છે, વૃથા ઇવ નીતિ = તે વૃથા જ જીવન જીવે છે.
પરમાત્માના પરમ ઉપકાર દ્વારા માનવજન્મ મળ્યો છે. આ એક જ યોનિ કર્મયોનિ છે, જેમાં સત્કર્મ દ્વારા, નિષ્કામ કર્મ દ્વારા, અંત:કરણ શુદ્ધ કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ મેળવી શકાય છે. તેવું નથી શકય પ્રાણી કે પશુયોનિ માટે, નથી દેવયોનિ માટે, કારણ કે તે બન્ને ભોગયોનિ છે. મનુષ્યયોનિમાં જ આવી તક મળે છે કે જયાંથી વ્યક્તિ નરમાંથી નારાયણ થઈ શકે તેમ છે. પુન: નરમાંથી પશુયોનિ પણ પ્રાપ્ત કરી શકે તેમ છે. આવી સ્વતંત્રતા પ્રભુએ બક્ષી છતાં, જેઓ ચિંતન, મનન, નિદિધ્યાસન ત્યજીને બ્રહ્માકારવૃત્તિ ત્યજે છે, નિશ્ચય તેમનું જીવન પશુ સમાન જ છે.
જેઓ અજ્ઞાની છે અને બ્રહ્માકાર વૃત્તિને ત્યજે છે તેમને માટે તો દયાદષ્ટિ જ વાજબી છે. પણ અજ્ઞાનીનો અર્થ એ નથી કે તે કર્મના કાયદાથી છટકી શકશે. તેઓ જ્ઞાનીની દષ્ટિમાં સહાનુભૂતિને પાત્ર છે. પણ જેઓ માનવદેહ ધારણ કરી જાણે છે કે મુક્તિનો ઉપાય છે અને તે બ્રહ્માકાર વૃત્તિ દ્વારા શકય છે, છતાં જ તેને ત્યજે છે તેઓ આ લોકમાં કે પરલોકમાં કયાંય દયાને પાત્ર નથી. તેમનું તો વર્તમાન અને ભાવિ બન્ને જીવન પશુ સમાન જ ગણાય. તેઓ તો જન્મમૃત્યુના સંસારને જ પાત્ર છે. યાદ રાખીએ કે પશુની જેમ માત્ર ખાઈપીને વધારેલા