SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) અનાદર છે. માટે, સાધકે, મુમસુએ વિષયવાસના ત્યાગીને સંયમથી મનને ‘સ્વરૂપમાં સ્થિર કરવા રૂપી સંયમ કેળવવો તે જ શી કહેવાય છે. સંત કબીર કહે છે: “જે દ્વિધામાં રહે છે, જેને ભોગ અને યોગ બને જોઈએ છે તે ન તો જગતને માણી શકે છે, ન જગન્નાથને જાણી શકે છે.” ચીંટી ચાવલ લે ચલી બીચમેં મિલ ગઈ દાર, કહત કબીર દોઉ ના મિલે એક લે દુજી ઠાર,” કીડી (જીવ) ચોખાનો દાણો (નિર્મળ આત્મતત્ત્વ) લઈ જતી હતી. વચમાં દાળનો દાણો (રંગીન સંસાર) મળ્યો. બન્ને એકસાથે રખાય તેમ નથી, એક છોડે તો જ બીજું પકડાય. તેવી જ રીતે સંસારનો ભોગ અને પ્રભુનો યોગ સાથે ન થાય. જગતની વાસનાઓ છૂટે, શમ આવે તો જ જગતનિયંતા મળે. “સાગર! જગ જોયું બધું, અગમ - નિગમની વાત પણ મનને ખોયા વિના, દર ન આવે હાથ. “મન મારો–મન” સહુ કહે, એ સહુ શબ્દપ્રપંચ; સાગર! મન મરવું ખરું, ઊઠે ન ઇચ્છા સંચ.” - શ્રી સાગર દમ: ઇન્દ્રિયો પર સંયમ તે દમ કહેવાય છે. ઇન્દ્રિયોને તેના વિષયોથી વિમુખ કરવી, પાછી બોલાવવી તે દમ છે. આમ કરવા માટે તેને સમજાવવાની જરૂર છે. સાંસારિક વસ્તુની અનિત્યતા અને વિષયભોગની વ્યર્થતા સમજાવવાથી જ તે શક્ય બને છે. સંસારના તમામ ભોગ અંતે ઇન્દ્રિયોના તેજને હણનાર છે. “મોને મયમ્' તેવો ભય પણ બતાવવો પડે અને છતાંય ન માને તો ઇન્દ્રિયોને ઉપદેશ આપવો પડે કે “મવસુચ્છે ટોષોડનુસંધીયતામુ” - સંસારના સુખમાં દોષ જોવાનો પ્રયત્ન કરવો. તેથી વિષયાસક્તિમાંથી મુક્તિ મેળવી શકાય. મનને સમજાવવું કે જે શરીરમાં તને મોહ છે તે અંતે તો માંસ, ચરબી, રક્ત અને હાડકાંના સમૂહ સિવાય કંઈ જ નથી. તે તો મળમૂત્રની ગટર છે, આંખમાં પિયા, મોંમાં ઘૂંક, કાનમાં પરું છે. તું બહારના પેકિંગથી છેતરાઈશ નહીં. તું વિચાર તો કર કે નારીનાં સ્તન એ માત્ર માંસ અને ચરબીનો વિકાર છે. તે માટેનો મોહ કે આવેશ મિથ્યા છે
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy