SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) એવું કહેવાય છે કે ભમરી પોતે જાણતી નથી પણ અન્ય ઇયળને પકડી લાવે છે. તેના ઉપર માટીનો લેપ કરી દર બનાવે છે. અને એક નાનું છિદ્ર તે દરમાં રાખે છે કે જેથી તે ઇયળને પોતાની સુંઢથી ડખ મારી શકે. પણ ઈયળ બહાર ન આવી શકે. બિચારી ઈયળને ભમરીનો ડખ પડે છે અને તેની વેદનામાં તે ભમરીને જ સ્મરે છે. થોડી વારે ભમરી ક્યાંકથી ફરી-ચરીને ખોરાક સાથે પાછી તો આવે છે, પણ દૂરથી જ ભમરીના અવાજથી ઇયળને ભમરીનું સ્મરણ તાજું થાય છે. ડખની વેદનાથી ઇયળ સતત ભમરીનું જ સ્મરણ કરે છે, તેના અવાજનો પડઘો તેને સંભળાય છે. આમ કહેવાય છે કે જ્યારે પેલી ઈયળ જે અન્ય જાતની હોય તે થોડા વખતમાં તેમાંથી ભમરી જ જન્મીને બહાર આવે છે. આને “કીટ-ભ્રમર-ન્યાય' કહેવાય છે. તેથી જ કહ્યું છે કે ઈયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી થાય છે તેમ જીવ બ્રહ્મના ધ્યાનથી, ચિંતનથી, મનનથી, નિદિધ્યાસનથી બ્રહ્મ જ થાય છે. અર્થાતુ પોતાને બ્રહ્મ તરીકે જાણે છે. આ જ છે ચમત્કાર ચિંતનનો કે નિદિધ્યાસનનો કે જે દ્વારા પ્રHચ ર થાય છે. આમ જે ચિંતન દ્વારા અન્યની નહીં પણ “સ્વ”સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તેને જ વેદાન્તમાં ધ્યાન કહે છે. સ્વરૂપ સમજાય ત્યારે તો સાપની કાંચળી જેમ સર્વ ક્રિયા, સર્વ કર્મ, તમામ ઉપાધિનો ત્યાગ થઈ જાય છે. જેમ અષ્ટાવક્ર કહે છે કે મત ધ્યાન કર કુછ હૃદય મેં સર્વત્ર ત્યજ દે ધ્યાન દ્વા આત્મા સદા હૈ મુક્ત , ફિર ક્યાં કરે છે ધ્યાન તૂા. જબ દૂસરા હૈ હી નહીં તો સર્વથા મૌનત્વ હૈ ભોલા સુખી હો શાન્ત હો, અદ્વૈત હૈ એકત્વ હૈ – અષ્ટાવક્રગીતાનો ભાવાનુવાદ ભોલેબાબા “જે દસે સો તો હૈ નાહીં, હૈ સો કહા ન જાઈ, બિન દેખે પરતીત ન આવૈ કહે ન કો પતિયાના, સમઝ હોય તો શબ્દ ચીન્હ, અચરજ હોય અયાના, કોઈ ધ્યાવૈ નિરાકારકો, કોઈ ધ્યાવૈ આકારા, યા વિધિ ઈસ દોનો તે ન્યારા અને જાનમહારા” - કબીર
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy