SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) ગયાં છે તો માત્ર ભ્રમણા, અજ્ઞાન, કે અધ્યાસથી જ. આવો વિચાર કરી નિત્ય-અનિત્યનો સમ્યફ નિશ્ચય કરવો તે વિવેક છે. “સાધુ મેરે સબ બડે અપની અપની ઠૌર; શબ્દ-બિબેકી-પારખી સો માથે કે મૌર.” પોતપોતાને સ્થાને સર્વ સંત મારે માટે મોટા છે પણ શબ્દબ્રહ્મને પારખનાર વિવેકશીલ સંત તો માથાના મુગટ સમાન વંદનીય જ છે. શમ તથા દમ સાધનચતુષ્ટયનો સંકેત આપ્યા બાદ વૈરાગ્ય અને વિવેકનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. હવે આવે છે ત્રીજું સાધન ષટ્સમ્પત્તિ, જેમાં (૧) શમ (૨) દમ (૩)ઉપરતિ (૪) તિતિક્ષા (૫) શ્રદ્ધા (૬)સમાધાન જેવો કમ આ શ્લોકમાં પ્રથમ શમ-દમની સમજૂતી છે. सदैव वासनात्याग: शमोऽयमिति शब्दितः। निग्रहो बाह्यवृत्तीनां दम इत्यभिधीयते॥६॥ સ ાવ વાસનાલ્યા :=સદા વાસનાનો ત્યાગ કરવો તે મયનું શમ તિ શન્દ્રિત =શમ કહેવાય છે વાઈવૃત્તીનામુ નિપ્રદ=બાહ્ય ઈન્દ્રિયોનો નિગ્રહ તુમ તિ મિીિય િ=દમ” નામથી ઓળખાય છે. વાસનાયાગને શમ એવું નામ આપવામાં આવ્યું છે. વાસનાયાગનો અર્થ જ મનની માગ મૂકી દેવી; મનને સતત નિરંતર દોડતું અટકાવવું; મન ઉપર નિયંત્રણ કરવું કે ચિત્ત પર કાબૂ કરવો. મન પર સંયમ તે જ શમ કહેવાય છે. જ્યાં સુધી મન વાસનાથી સભર છે ત્યાં સુધી તેની વિષયાભિમુખ વણથંભી દોટ અટેકે તેમ નથી. વાસના જ મનની નિરંતર પ્રવૃત્તિની પ્રેરણા છે. વાસના જ કર્મ કરાવે છે, ફળયોગ કરાવી મનને સુખી કે દુ:ખી કરે છે અને મનની વાસના જ નવા શરીરને ગ્રહણ કરાવી પુનઃ જન્મમૃત્યુના ચક્રમાં નાખે છે. વાસનાનું સ્મશાન તે જ મોક્ષદ્વાર છે. વાસનાનો અંત એ જ જન્મ મૃત્યુના ચક્રનો અંત છે. વાસનાનો વિનાશ તે જ કર્મ, ફળ, ભોક્તા અને કર્તાનો સંહાર છે. આવો સંહાર તે જ સર્જન છે મુક્તિનું વૈવિધ્યપૂર્ણ વાસના મનને બહેકાવી “સ્વરૂપ”-થી ભિન્ન દિશામાં દોડાવી રહી છે. વિષયની આસક્તિથી મનની દશા અને સરકારની નક તપ ,
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy