SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૧) બ્રહ્મભાવથી કે મનને બ્રહ્મ માની ઉપાસના કરવાથી વૃત્તિઓ બાધિત થાય છે તેને જ વેદાન્તમાં પ્રાણાયામ કહેવામાં આવે છે, નહીં કે શ્વાસના નિરોધને. શ્રી રમણ મહર્ષિ કહે છે કે જેણે મનનો નાશ કર્યો છે તે જ ઉત્કૃષ્ટ યોગી છે. તે સ્વરૂપમાં સ્થિત છે, તેથી તેને માટે કોઈ કર્મ નથી. “નષ્ટનો નિકા ત્યમતિ કિં સ્થિર્તિ યતદા” (ઉપદેશસાર) આ મનનો નાશ કઈ રીતે થાય? તેના ઉત્તરમાં મહર્ષિજી કહે છે કે મનરં તુ ફ્રિ માને જો નવ મન મા માર્નવતા (ઉપદેશસાર) મન કોણ છે? ક્યાં છે? મન ઉપર વિચાર કરવાથી સમજાશે કે મન જ નથી. આ જ આત્મચિંતનનો સરળ ઉપાય છે. આમ બ્રહ્મવિચારથી સમજાય છે કે મન કે ચિત્ત તો જડ છે. તેને પોતાનું ચેતન ક્યાં છે? ચેતન તો બ્રહ્મનું જ છે ચિત્તમાં ભલે પછી તે વિષયગમન કરે, વૃત્તિઓમાં આસક્ત થાય, પણ શુદ્ધિ પછી ચિત્ત અને ચૈતન્ય તો એક જ છે. અર્થાતુ જો મન ઉપર મન દ્વારા જ ચિંતન થશે તો મને ત્યાં રહેશે જ નહીં. આમ, મનોનાશ થતાં પણ વૃત્તિઓનો નિરોધ થશે. યોગશાસ્ત્રમાં પ્રાણાયામનો અભ્યાસ મનના લય માટે જ કરાવવામાં આવે છે. તેમાં એવી પ્રબળ માન્યતા છે કે પ્રાણ અને મનને સીધો સંબંધ છે. તેથી જો પ્રાણ ઉપર કાબૂ થાય તો મન ઉપર પણ થઈ શકે. અમનસ્ક ખંડમાં કહ્યું છે કે પ્રો યત્ર વિતી તે મનેત્ર નિતીયો પ્રાણનો જયાં વિલય થાય છે, ત્યાં મનનો પણ લય થાય છે.” આમ હોવાથી એકનો જે નિરોધ થાય તો બીજાનો પણ થઈ શકે. આવી ધારણાથી યોગમાં પ્રાણનો, સ્વાસનો નિરોધ સમજાવવામાં આવે છે. ટૂંકમાં, પ્રાણ ઉપર નિરોધ સરળ છે તેમ માની; મનના નિરોધની પ્રાપ્તિ માટે જ પ્રાણ નિરોધ કરવાનું પ્રાણાયામ દ્વારા સૂચન છે. શ્રી રમણ મહર્ષિ સમજાવે છે કે प्राणबन्धनाल्लीनमानसम्। પ વિનાનાચવા (ઉપદેશસાર)
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy