SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૧) આમ, જેવી જેની દષ્ટ તેવી તેની સૃષ્ટિ. જેના મનમાં ભેદ હશે તેને ભેદ જ દેખાશે, અને તેને તે સત્ય પણ માનશે. સૂક્ષ્મ દૃષ્ટિવાળો નામ આકાર બાદ કરી સૂક્ષ્મ આત્માંનાં જ દર્શન કરશે. અભેદદીઁ ભેદત્યાગી, અભેદ તત્ત્વ જ ગતમાં પણ જોશે, તેથી તેને વ્યક્ત અને અવ્યક્ત સર્વ કાંઈ પરમાત્મામય દેખાશે. જે પંચમહાભૂતની દૃષ્ટિથી જોશે તેને સર્વ કાંઈ પંચમહાભૂતમય દેખાશે. મિથ્યાના દષ્ટિકોણથી ગત મિથ્યા જણાશે. માયાની દૃષ્ટિથી જ્ગત માયામય જણાશે. મનની દૃષ્ટિથી જ્ગત મનોમય અને બ્રહ્મ દૃષ્ટિથી જગત બ્રહ્મમય દેખાશે. જેવી, જેની ષ્ટિ તેવી તેની સૃષ્ટિ તે સમજાવતાં સ્વામી માધવતીર્થ એક સુંદર ઉદાહરણ આપે છે. “કોઈ એક જગ્યાએ કોઈ પક્ષી ઝાડ પર કંઈ બોલતું હતું. ત્યાંથી એક ફકીર પસાર થતો હતો. તેણે કહ્યું કે આ પક્ષી તો જાણે એવું બોલે છે કે ‘કરીમ તેરી કુદરત!' તે પછી કોઈ પહેલવાન ત્યાંથી નીકળ્યો ત્યારે તેના મનમાં એવો સંકલ્પ આવ્યો કે આ પક્ષી તો કહે છે કે ‘દંડ કુસ્તી કસરત !' તે પછી થોડી વારમાં કોઈ રામભક્ત ત્યાંથી નીકળ્યો તો તેણે કહ્યું કે આ પક્ષી તો કહે છે કે રામ લક્ષ્મણ દશરથ’. તે પછી કોઈ ગાંધી ત્યાંથી બીજે ગામ મસાલો વેચવા જતાં ત્યાંથી પસાર થયો તો તે કહેવા લાગ્યો કે આ પક્ષી તો કહે છે, હળદર, મરચી, અદરખ'. તે પછી કોઈ ડોસી ત્યાંથી નીકળી તેણે જાણ્યું કે આ પક્ષી તો કહે છે કે “અટ, પૂણી, ચમરખ'. છેવટે એક પીંજારો ત્યાંથી નીક્ળ્યો. તેણે કહ્યું કે આ પક્ષી તો ક્યે છે કે હૈં કૈં ક!” આ પરથી એક વસ્તુ સ્પષ્ટ છે કે જેવી જેની દૃષ્ટિ તેવી જ તેની સૃષ્ટિ. સાપેક્ષવાદ પણ કહે છે કે દૃશ્યમાં ૠાની દૃષ્ટિ ભળવાથી જ સાપેક્ષતા ઊભી થાય છે. જ્યારે વિજ્ઞાન કહે છે કે ‘ઈચ એન્ડ એન્રી એનિમલ મેક્સ હિસ ઓન વર્લ્ડ ઓફ પરસેપ્શન' આમ વિચારતાં સમજાય છે કે જે ટિ બ્રહ્મમયી હશે તો જ્ગત પણ બ્રહ્મમય દેખાશે. અને જે આવી જ્ઞાનમયી ષ્ટિ થઈ જશે તો જ્યાં જ્યાં મન જશે ત્યાં સમાધિસ્થ જ થઈ જશે. “યત્ર ચત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય:' કારણ કે અભેદ, અદ્વૈત, સૂક્ષ્મ અને બ્રહ્મષ્ટિવાળાને અધિષ્ઠાન બ્રહ્મ સિવાય કંઈ દેખાશે જ નહીં. આમ જ્ઞાન દ્વારા, અભેદ દષ્ટિ દ્વારા મન કોઈ પણ આકાર-સાકારને સ્પર્શ કરે છતાં પોતાને સમાધિસ્થ જ અનુભવે, તે જ જ્ઞાનમયી અને સ્થિર દૃષ્ટિ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy