SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૭) નાત્ બ્રહ્મમય પચ્ચે=જગતને બ્રહ્મમય જોવું સા દિઃ પરમ ૩૯Tતે દષ્ટિ પરમ ઉદાર મનાય છે. નાસાયા: અ અવતરે ) = નાસિકાના અગ્રભાગનું અવલોકન તિ નાવિનોવિકની સા ન ઈ કરનારી જે દષ્ટિ છે કે નહીં. दृष्टदर्शनदृश्यानाम् विरामो यत्र वा भवेत्। दृष्टिस्तत्रैव कर्तव्या न नासाग्रावलोकिनी॥११७॥ વા. ...અથવા પત્ર. . (જે બ્રહ્મમાં) જ્યાં દૃનયાનામુ... કટા દર્શન અને દશ્યનો વિસામો આવે . લય થઈ જાય છે, તત્ર વ... ... ત્યાં જ કૃષ્ટ વર્તા .. ) = દષ્ટિ કરવી જોઈએ. (અંત:કરણની વૃત્તિને ત્યાં સ્થિર કરવી જોઈએ) નાસવિનોવિકની દૃષ્ટિ નનાકના અગ્રભાગને જોવાની દષ્ટિ સાચી નથી. દૃષ્ટિ જ્ઞાનમય ત્વી દષ્ટિને જ્ઞાનમય બનાવવી તેવી વાત વેદાન્તની છે. જ્ઞાનમયી દષ્ટિ અર્થાત કેવી ?િ જ્યાં સુધી જગતને જોવાની દષ્ટિ જ અજ્ઞાનમય છે ત્યાં સુધી જે નથી તે દેખાશે, જે પ્રતીતિ માત્ર છે તે સાચુ લાગશે, જે અધ્યાત છે તે હકીકત જણાશે, જે mત આરોપ છે, ભ્રાંતિ અને ભ્રમણા છે તે વાસ્તવિક જણાશે, જે સંસાર મિથ્યા છે, સ્વપ્નવત્ છે તે અજ્ઞાન કાળે સત્ય છે તેવું જ ભાસશે અને તેથી મોહ પેદા થશે અને વ્યક્તિ છતી આંખે મોહાંધ થશે. જ્યાં જ્યાં મોહ હશે ત્યાં શોક અનિવાર્ય છે, જ્યાં કોઈ પણ વસ્તુ માટે, વ્યક્તિ માટે, પરિસ્થિતિ માટે મોહ હશે ત્યાં તેની વિદાયમાં શોક પેદા થવાનો તે નિર્વિવાદ છે. જેને માટે મોહ હશે તેનાથી વિખૂટા પડવાનું મન નહીં થાય; અને મોહવાળો પદાર્થ રાગ ઊભો કરશે; જે તે પદાર્થ અપ્રાપ્ત હશે તો તેને પ્રાપ્ત કરવા મરણિયો પ્રયત્ન ર્યા વિના મોહાંધ રહી શકશે નહીં. પ્રયત્નમાં જો નિષ્ફળતા મળશે તો પુન: તે શોકના સાગરમાં ડૂબી જશે. હતાશા, નિરાશા અને નિષ્ફળતાનાં વાદળોથી ઘેરાઈ જશે. આ તો પરિણામ છે
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy