SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે તેને આસન ન જાણવાં. (૪૦૬) સિદ્ધાસન સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન અને સ્વસ્તિક આસનમાંનું કોઈ પણ એક આસન સાધક યોગીએ સિદ્ધ કરવું જોઈએ એવું યોગશાસ્ત્રમાં છે તેથી અહીં સિદ્ધાસનનું મહત્ત્વ સમજી ચર્ચા કરવામાં આવી છે. હઠયોગ પ્રદીપિકામાં સિદ્ધાસન, પદ્માસન અને ભદ્રાસનનું વર્ણન નીચે મુજબ કર્યું છે. “ योनिस्थानकमंत्रिमूलघटितं कृत्वा दृढ विन्यसेत मेठ्र पादमथैकमेव हृदये कृत्वा हनुं सुस्थिरम् । स्थाणुः संयमितेन्द्रियोऽचलदृशा पश्येद् भ्रुवोरन्तरम् ह्येतन्मोक्षकपाटभेदजनकं सिद्धासनं प्रोच्यते || " '' ડાબા પગની પાનીની, ગુદા અને ઉપસ્થનો મધ્યભાગ જે સીવની તેમાં દૃઢ સ્થાપના કરવી અને જમણા પગની પાનીને ઉપસ્થના મૂલભાગ ઉપર સારી રીતે સ્થાપન કરવી, હડપચીને હૃદયની ઉપર ચાર આંગળ પર સુસ્થિર કરવી અને સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખીને સ્થાણુની પેઠે સ્થિત થઈ સ્થિર દૃષ્ટિ વડે ભ્રમરનો મધ્ય પ્રદેશ જોવો; તેને યોગીજનો મોક્ષદ્વારને ઉઘાડું કરનાર સિદ્ધાસન કહે છે.” વેદાન્તમાં સિદ્ધાસન यत्सर्वभूतादि विश्वाधिष्ठानमव्ययम्। सिद्धं यस्मिन् सिद्धाः समाविष्टास् तद्वै सिद्धासनं विदुः ॥ ११३ ॥ સર્વમૂતાતિ યત્ સિદ્ધમ્=જે સર્વપ્રાણીઓમાં સિદ્ધ છે, यत् विश्वस्य अधिष्ठानम् अव्ययम् = ने (બ્રહ્મ) વિશ્વનું અધિષ્ઠાન અને અવિનાશી છે યસ્મિન્ (બ્રહ્મ)િ=જે (બ્રહ્મમાં) સિદ્ધા સમાવિષ્ટાઃ-સિદ્ધ પુરુષો સમાવિષ્ટ છે અથવા પ્રવેશ પામ્યા છે, તત્ મૈં સિદ્ધાસનમ્ વિવુઃ-તે જ સિદ્ધાસન એક સ્થિતિ છે, એક દૃષ્ટિ છે. તે શરીરનું આસન માત્ર નથી. સિદ્ધાસન અર્થાત્ બ્રાહ્મી સ્થિતિ કે અદ્વૈત અભેદ ષ્ટિ.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy