SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૪) છે. જ્યારે વેદાન્તમાં આસન સ્થિર શરીર નહીં પણ સ્થિર સુખ સાથે સંકળાયેલું છે; શરીરની ક્રિયા સાથે કદી નહીં વેદાનમાં આસન તેને કહેવાય છે કે જ્યારે તેમાં કોઈ બળપૂર્વકની ક્યિા ન હોય. “આસન કરું છું” તેવો કત્વભાવ પણ ન હોય અને આસનસિદ્ધિ મળી છે તેવો સિદ્ધિના આનંદનો ભોક્તાભાવ પણ ન હોય. છતાં સરળતા અને સહજતાથી જે થાય તે આસન છે. વેદાન્તની સમજ સ્પષ્ટ છે કે આસનસિદ્ધિ મેળવવાના પ્રયત્નમાં તો અને દેહનું અભિમાન વધશે અને અનાત્મા સાથેનું તાદાત્મ દઢ થશે. યોગશાસ્ત્રમાં અમુક પવિત્ર સ્થળે મેં આસન સ્થાપેલું છે, અને અમુક આસનની સિદ્ધિ મેં પ્રાપ્ત કરી છે તેવો ભાવ છે. તેનો અર્થ એ જ છે કે શરીરનું જે આસન છે તેમાં હું મર્યાદિત છું. વેદાનમાં જ્ઞાનની ખુમારી છે. શરીરભાવનો ધ્વંસ છે. હું કયાંય બેઠો નથી; સારી સુષ્ટિ મારામાં બેઠી છે. હું અધિષ્ઠાન છું સર્વનું; મારે વળી આસન કેવું? “પૂર્ણચવાહનું સુત્ર સારા રાસનમુil” (પરાપૂજા)”-આદિ શંકરાચાર્ય પૂર્ણનું આવાહન ક્યાં? સર્વના આધારને આસન કેવું? હું અધિષ્ઠાન છું; સદા સ્થિર અને નિશ્ચળ છું. શરીરને સ્થિર કરવાની ભ્રાંતિ મારામાં નથી. શરીરને નિશળ કરવા તેને પીડા થાય તેવી ક્રિયા મારી કદી નહીં. એવી સમજ સાથે થાય તેને જ વેદાન્તમાં આસન કહે છે. सुखेनैव भवेदस्मिनजस्त्रं ब्रह्मचिन्तनम्। आसनं तद्विजानीयात् नेतरत्सुखनाशनम्॥११२ ।। શ્નન- જે (આસનમાં) બેસીને દ્રવિત્નમ્ મનસ્રમ્ સુપ્લેન મ ત વ માસન વિનાનીયા = પરમાત્માનું ચિંતન નિરંતર અને સુખપૂર્વક થાય તે જ આસન જાણવું સુહનાશનમ્ યત્ તત્ આસનમ્ ર (વે) જે આસન સુખનો નાશ કરનારું છે તે આસન કહેવાય નહીં. (અથવા) (અથવા). મુકનારાના આક્ષ ર (પતિ) સુખનાશક અન્યને આસન ન કહેવાય અહીં ભગવાન શંકરાચાર્યજી સ્પષ્ટ કરે છે કે જે રીતે બેસવાથી, જે આસનમાં બેસવાથી, પરમાત્માના ચિંતનમાં સુખ સ્થિર રહે છે તેને
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy