________________
(૩૯૧) એમ વિચારતાં વિચારતાં જ સ્વરૂપનું ચિંતન થશે તો અખંડ દેશ, અખંડ વસ્તુ અને અખંડ કાળ બધું એક જ થઈ જશે. અને તે જ મારું સાચું સ્વરૂપ હશે. આમ નિદિધ્યાસન જે “કાળ' ઉપર થશે તો સમજાશે કે હું કાળનો સાક્ષી, કાળથી પર છું. પછી ક્યાં છે શુભ કે અશુભ ચોઘડિયાં? કાળ તો મનનો ખ્યાલ કે કોન્સેપ્ટ' છે તેમાં વળી લાભ-અલાભ, શુભ-અશુભ, ચળ-અચળ વગેરે ક્યાંથી!
જો હું પરબ્રહ્મ સર્વવ્યાપ્ત, તો મારે ક્યાં છે અબ્રહ્મ કે બ્રાહ્મમુહૂર્ત? હું કાળમાં નથી. પણ સ્વરૂપે કાળ મારી અંદર ફર્યા કરે છે. હું તો કાળનો પણ કાળ” પરબ્રહ્મ છું.
તો છે જ્યાં ચિંતા પતનની ?
અપેક્ષા કેવી ઉદયની?
સદ્ગતિ કે અવગતિની ભ્રાંતિ કેવી! યહ દેહ ઠહરે કલ્પ તક; યા આજ ઉસકા અન હો તેરા ન કુછ બિગડે બને; યહ જાન કર નિશ્ચિત હો
દિનરાત તુઝમેં હૈ નહીં; ના હિ સબેરા શામ હૈ – કાલ કો ભી કાલ હૈ; ફિર સોચ કા ક્યા કામ હૈ
– ભાવાનુવાદ - અષ્ટાવક્રગીતા જો મન પવિત્ર હોય તો તમામ સમય, સંજોગ, પ્રસંગ, ઘડી કે કાળ પવિત્ર જ છે. નિરવયવ કાળ પોતાના “સ્વ”સ્વરૂપ - કે જે સર્વનું અધિષ્ઠાન છે - તેથી ભિન્ન નથી.
નિદિધ્યાસનના સંદર્ભમાં આપણે દેશ અને કાળનો વિચાર કર્યો અને નિષ્કર્ષ પર આવ્યા કે બ્રહ્મ જ એકાન્ત દેશ છે અને તે જ અદ્વૈત, અખંડાનંદ તત્વ 'કાળ' કહેવાય છે. પારમાર્થિક દૃષ્ટિએ દેશ અને કાળ સાચા નથી. આજનું વિજ્ઞાન અને વિશેષ કરીને સાપેક્ષવાદ પણ “દેશ અને કાળ’ ‘ટાઈમ એન્ડ સ્પેસ'ને વાસ્તવિક માનતું નથી. આપણા દેશ અને કાળ'ના ખ્યાલ કેટલા ભ્રાંતિમય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ દેશ અને કાળની ભ્રમણા
દેશ અને કાળ એ આપણા જ મનની કલ્પના છે. દેશ અને કાળ