________________
(૩૮૩)
દેશ આગળ મૌન વિશે ચર્ચા થઈ તેથી એક શંકા ઊભી થઈ કે જે બ્રહ્મ વિશે પણ મૌન જ રાખવાનું હોય તો શા માટે વેદાન્તાનાં પુસ્તકો, સંતો, સૌ આત્માનું વર્ણન કરે છે?
વાસ્તવમાં વેદાન્તાશા આત્મા કે બ્રહ્મનું સીધેસીધું વર્ણન તો કરતું જ નથી. બલકે બ્રહ્મનો લક્ષણા દ્વારા માત્ર નિર્દેશ કરે છે. જે જે અનાત્મા છે તેનો નેતિ નેતિ' દ્વારા ઈન્કાર કરે છે અને અંતે જે શેષ છે તે આત્મા છે તેવી વેદાન્તની સાર સમજ છે. વેદાન્તશાસ્ત્ર બ્રહ્મનું વર્ણન કરતું નથી પણ ભ્રમ દૂર કરવા પ્રયત્ન કરે છે. વેદાન્તનો મુખ્ય હેતુ શબ્દો કે વાણી દ્વારા સત્યમાં જે અસત્ય છે, આત્મામાં જે અનાત્મા છે, નિત્યમાં જે અનિત્ય છે, નિરાકાર અને અનામીમાં જે નામ અને આકારનો આરોપ છે તેને દૂર કરવાનો છે. ટૂંકમાં, વેદાન્તશાસ્ત્ર હોય, શ્રુતિ હોય, સ્મૃતિ હોય કે સંતોનો ઉપદેશ હોય, સૌ આરોપ, ભ્રાંતિ, અધ્યાસ અને અજ્ઞાનનો નિષેધ કરવાનું જ કાર્ય કરે છે. જ્યારે વાસણ સાફ કરાય છે ત્યારે સાબુ કે આંબલીનું પાણી વાસણ બતાવવાનું કાર્ય કરતાં નથી, ' માત્ર તેના ઉપરનો મેલ સાફ કરે છે. અને તેથી વાસણ આપોઆપ
જેવું પૂર્વે હતું તેવું દેખાય છે. તે જ પ્રમાણે સાવરણી પૃથ્વીને બતાવવાનું કાર્ય કરતી નથી; પણ કચરો સાફ કરવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે વેદાન્ત અવિદ્યા અને આરોપને દૂર કરી આપે છે જેથી આપોઆપ બ્રહ્મદર્શન થાય છે. આરોપ અને અપવાદ દ્વારા જ વેદાન્ત બ્રહ્મનો નિર્દેશ કરે છે. .
હવે નિદિધ્યાસનના પાંચમા અંગ તરીકે દેશ આવે છે. એકાન દેશ કે પ્રદેશ વિશે લોકોમાં અનેક જાતની અવનવી માન્યતાઓ પ્રવર્તે છે. એકાન્તની શોધ માટે લોકો પર્વત, ગુફા અને જંગલોમાં જાય છે. કૃત્રિમ ગુફા ન મળે તો ભોંયરા ચણી ગુફા તૈયાર કરે છે. માણસોથી દૂર જ એકાન્ત દેશ હોય છે તેવી માન્યતા પણ પ્રચલિત છે. તે સૌનો નિષેધ કરી અહીં એકાન્ત દેશની નવી વ્યાખ્યા આપવામાં આવી છે.
आदावन्ते च मध्ये च जनो यस्मिन्न विद्यते।
એનેવં સતતં વ્યાપ્ત સંશો વિનામૃત: ૨૨૦ | માલો અંતે ર મ == આદિમાં, અંતમાં અને મધ્યમાં