SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૭) દયપ્રપંચ અસ્તિત્વહીન ભાસે છે. અને માત્ર બ્રહ્મદર્શન જ થયા કરે છે. કારણ કે ભેદદશ ચિત્ત ન રહેતાં બચે છે માત્ર ચૈતન્ય. માટે જ કહ્યું છે કે પ્રપંચનો ત્યાગ જ સાચો ત્યાગ છે. કારણ કે જે પ્રપંચ છે જ નહીં અને બ્રહ્મમાત્ર જ છે તો પછી સંસારમાં નથી કોઈ પણ વસ્તુ નિંદા કરવા યોગ્ય કે નથી કંઈ સ્તુતિ કરવા લાયક! નથી કોઈ વસ્તુ સ્વીકાર્ય કે નથી કંઈ ત્યાW! હંમેશાં યાદ રાખીએ કે જેનો સ્વીકાર કરવો હશે, જે પ્રાપ્ત કરવું હશે તેનું સતત ચિંતન થયા કરશે; અને જેનો ત્યાગ કરવો હશે તેનું પણ ચિંતન થયા કરશે. અર્થાત્ પ્રાપ્તિની કે ત્યાગની વસ્તુ તો મનમાં જ રહેશે; કેમ કે તેમનું સતત ચિંતન થાય છે. ચિંતન જ સમાપ્ત થાય, ત્યાજયનું કે સ્વીકાર્યનું - તે જ ત્યાગ કહેવાય છે. વાસ્તવમાં ત્યાગ એટલે શું? પ્રપંન્નપરા ચાર- પ્રપંચ રૂપનો સહજ ત્યાગ જ વાસ્તવમાં ત્યાગ છે. આવો ત્યાગ કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે? જિતાત્મવી અવનવનીતુ- ચૈતન્યસ્વરૂપ બ્રહ્મનું વારંવાર ચિંતન કરવાથી જ આવો ત્યાગ ઉપલબ્ધ થઈ શકે તેમ છે.. બ્રહ્મનું આત્માનું અધિષ્ઠાનનું સતત ચિંતન કરવાથી આત્મદર્શન કે ઐક્યદર્શન જ સર્વદા સમીપ રહેશે. ભિન્નતાવાળાં નામ અને આકાર અદશ્ય થશે. જે નામ અને આકારવાળો સંસાર દશ્ય છે તેને જ દશ્યપ્રપંચ કહેવાય છે અથવા તેને રૂપવાળો પ્રપંચ કહેવાય છે. જ્યાં સુધી તે સંસારમાં નામઅને આકાર જ દેખાશે ત્યાં સુધી તેનો ત્યાગ થવાનો નથી. પણ જયારે સતત બ્રહ્મચિંતનથી નામ અને આકાર હોવા છતાં તે સર્વ તો આરોપ છે તેમ સમજાશે; અને તત્ત્વ તો બ્રહ્મ જ છે એમ જણાશે ત્યારે નામ અને આકાર કે રૂપ હોવા છતાં તે નથી તેમ જણાશે. રૂપ તો ભ્રાંતિ છે, અધ્યાસ છે, આરોપિત છે, વાસ્તવિક નથી. અધિષ્ઠાન આત્મા ઉપર લદાયેલાં છે, ભાસે છે તે રૂપ છે અને રૂપ હોય તે જ ભાસે છે. નામ અને આકાર તો પ્રતીતિમાત્ર છે, હકીકતમાં તેમનું સાચું અસ્તિત્વ નથી. આવું જ્ઞાન બ્રહ્મનું સતત ચિંતન કરવાથી થાય છે અને આવા શાનથી જ yપશ્વચ ત્યાગ પ્રપંચનો, નામ અને આકારનો, રૂપનો સહજ ત્યાગ સિદ્ધ થાય છે. સંસારનો કે પ્રપંચનો સ્વરૂપત: ત્યાગ શક્ય જ નથી, માત્ર આત્મજ્ઞાન કે અધિષ્ઠાનના સંદર્ભમાં જ સાચો ત્યાગ સંભવિત છે. જે સોનાના ઘરેણામાં નામ અને આકાર દશ્ય થાય તો જ ત્યાગની વાત
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy