________________
(૩૫) તેથી શાશ્વત શાન્તિ મળે તેમ નથી. શરીરનો ત્યાગ કરવાથી શાન્તિ મળશે તેવી માન્યતા તો મૂખમીની પરાકાષ્ઠા છે. યોગવાસિષ્ઠમાં એક સુંદર કથા છે પિતા અને પુત્રની. પિતા બૃહસ્પતિ છે અને પુત્ર કચ છે. પુત્ર કરા વેદાભ્યાસ કરીને પોતે પારંગત થઈ ગયા છે તેવું તેમને અભિમાન થયું. પિતા બૃહસ્પતિ પુત્રની આંખમાં તેના અભિમાનને જોઈ શક્યા. અને અભિમાનને ઓગાળવાના હેતુથી તેમણે પ્રશ્ન પૂછ્યો: બૃહસ્પતિ: વેદાભ્યાસ પછી હવે તને શાન્તિ મળી કે નહીં? કચ: ના; શાન્તિ તો નથી મળી! બૃહસ્પતિ: તો પછી શાન્તિ માટે પ્રયત્ન કર. કચ: શાનિ કેવા પ્રયત્નથી મળે? બૃહસ્પતિ: ત્યાગથી જ શાન્તિ ઉપલબ્ધ થઈ શકશે.
એવાં પિતાનાં વચન શ્રવણ કરી ત્યાગ માટે તત્પર થયેલ કચ ઘરબાર છોડી નીકળી પડ્યો. તેની સમજમાં ઘરબારનો ત્યાગ એ જ સાચો ત્યાગ હતો. તે પોતાની ભૂલ ન સમજો કે તેને વિદ્યાનું અભિમાન થયેલું. વેદાભ્યાસનું ઘમંડ હતું તે છોડવું જરૂરી હતું. વિદ્યાનું ફળ છે નમ્રતા; વિદ્યાનું ફળ જ શાન્તિ છે, જો સાચી વિદ્યા કે જ્ઞાન હસ્તગત થાય તો. પણ તેવી સમજ વિના કશ તો ઉપડ્યો યાત્રાએ. એક વર્ષ સુધી તીર્થાટન કર્યું. અંતે ઘેર પાછો ફર્યો ત્યારે ફરી પિતાએ પ્રશ્ન પૂછ્યો...
બૃહસ્પતિ ઘરબાર છોડ્યાં. હવે તને શાન્તિ મળી? કચ: શાન્તિનો કોઈ અણસાર પણ નથી મળ્યો. બૃહસ્પતિ: તો, ત્યાગ કરો. શાન્તિ જરૂર મળશે.
‘ત્યાગનો મંત્ર લઈ કચે દંડ-કમંડળનો ત્યાગ કર્યો અને ફરી એક વર્ષ તીર્થાટન કરી પાછા ફર્યા.
પિતાજીએ કહ્યું: “હવે તો તને શાંતિ મળી હશે.” કચ: ના, હજુ શાન્તિ મળી નથી! હસ્પતિ: તો ત્યાગ કરો.
કચ: અરે! હું તો અશ્ચિન છું. ધનમાત્ર છોડયાં છે. શું કહો છો ગુરુદેવ! કૌપીનનો પણ મેં ત્યાગ કર્યો છે.
બૃહસ્પતિ: છતાં તને શાન્તિ નથી તો ત્યાગ કરો! આ સાંભળી ક્ય મનોમન વિચારવા લાગ્યો કે લંગોટનો ત્યાગ પણ ત્યાગ નથી. ધનના ત્યાગની કોઈ કિંમત નથી. તો પછી બસ હવે તો મારી પાસે બચ્યું