SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૪) ક્રિયા નથી પણ અને તેથી તેના વિશેષ મહત્વ છે, જ્યારે વેદાન્તમાં નિયમના સંદર્ભમાં ચિંતન છે. અહીં જપને પણ સ્વાધ્યાય કહેવાય છે. પ્રકાર સમજી લઈએ. જપના મુખ્યત્વે બે પ્રકાર છે: (૧)વાચિક જપ (૨)માનસ જપ વાચિક જપના બે વિભાગ છે: (અ) વાચિક અને (વ) ઉપાંશુ જપ. (અ) વાચિક જપ: અર્થાત્ એકાન્તમાં વૈખરીવાણીથી થતો જપ જે નજીકવાળી વ્યક્તિ શ્રવણ કરી શકે તેવો હોય છે. (૬) ઉપાંશુ જપ: એટલો ધીમેથી થાય છે કે નજીકમાં નજીકની વ્યક્તિ પણ સાંભળી શકે નહીં. અને આ જપમંત્રના ઉચ્ચારણ સમયે માત્ર જીભ અને ઓષ્ઠનું સહજ ચલન થતું હોય છે. (૨) માનસ જપના પણ બે પ્રકાર છે: (અ) માનસ જપ અને (૬) ધ્યાન જપ. (અ) માનસ જય: જેમાં જીભ અને ઓષ્ઠનું કોઈ પણ પ્રકારે ચલન થતું નથી અને કેવળ મન દ્વારા જ જપ થાય છે. તેવા જપના ઉચ્ચારણમાં છે કે ન તો સ્વરયંત્રની પેટીમાં ચલન થાય છે. તો અવાજ થાય 1 (૬) ધ્યાન જપ: જ્યારે માનસ જપનો સતત અભ્યાસ થાય છે અને લક્ષણાવૃત્તિ શબ્દવૃત્તિમાં સહજ રીતે આયાસ વિના લીન થાય છે અને તેવી સ્થિતિમાં જે જપ થાય છે તેને ધ્યાન જપ કહેવાય છે. વાચિક જપ કરતાં ઉપાંશુ જપ સહઅગણો શ્રેષ્ઠ છે અને ઉપાંશુ કરતાં માનસ જપ શ્રેષ્ઠ છે, તેમ જ માનસ જપ કરતાં ધ્યાન જપ સહસ્રગણું શ્રેષ્ઠ છે. આવો જપ અર્થ સમજીને કરવો સારો છે. કારણ કે તેમ કરવાથી શબ્દવૃત્તિ ઉચ્ચારમાં અને લક્ષણાવૃત્તિ મંત્રના અર્થમાં રોકાયેલી હે છે. અને તેમ થવાથી અન્ય વૃત્તિઓનું સ્ફુરણ થતું નથી. જપની જેમ જ શાસ્ત્ર અધ્યયન - મોક્ષશાસ્ત્રનું અધ્યયન પણ સ્વાધ્યાય જ કહેયવાય છે, જેમાં ‘સ્વ' નું અધ્યયન કે આત્મનિરીક્ષણ પણ આવી જાય છે. આ સ્વાધ્યાય પણ નિયમના સંદર્ભમાં સમજાવેલી ક્રિયા જ છે. (૫) Üળિધાન: એ યોગશાસ્ત્રનો પાંચમો નિયમ ઈશ્વરપ્રણિધાન અર્થાત્
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy