SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૨) ભગવદ્ગીતામાં પણ છે. आरुरुक्षोर्मुनर्योगं कर्म कारणमुच्यते। યોગઢિયા તવ નમ: મુખ્યતાઅધ્યાય / “આરતુ માટે અશુદ્ધિનો ક્ષય કરનાર કિયા વગેરે સાધનરૂપ છે. અને યોગારૂઢને યોગની સિદ્ધિ માટે શમ-અર્થાત્ ક્રિયાનિવૃત્તિ જ કારણ છે.” અહીં જે તપને ક્યિા કહેવાય છે તે તપ તે શું છે? કેવી ક્રિયાને તપ કહેવાય છે? તેવા પ્રરનના ઉત્તરમાં યોગશાસ્ત્રમાં અપાતા નિર્દેશો નીચે મુજબ છે: તપ અથત શરીરનું શોષણ કરવું તેવું પણ કહેવાય છે, યાજ્ઞવક્તસંહિતામાં તો કહ્યું છે કે, “રાષf yદુસ્તાન તપ ૩ત્તમ” શરીરનું શોષણ કરવું તે ઉત્તમ તપ છે.” એવું કછૂક્યાંદ્રાયણાદિ કિયાના સંદર્ભમાં કહેલું છે. ટૂંકમાં તપનો યોગશાસ્ત્રમાં જે અર્થ છે તે સંદર્ભમાં કાયાને કષ્ટ અને શરીરશોષણ એવો અર્થ છે. અને તે માટે વિવિધ ક્રિયાઓનો નિર્દેશ છે જેવી કે ભૂખ, તરસ, ઠંડી, ગરમી સહન કરવા; ઊભા રહેવું બેસવું તેવું વ્રત રાખવું ઘણા તપસ્વી બાર વર્ષ સુધી ઊભા જ રહે છે. તે જ પ્રમાણે મૌનવ્રત રાખવું પણ તપ છે. મૌનરૂપી તપના બે પ્રકાર છે: (૧) કાષ્ઠમૌન અથત વાણીથી ન બોલવું એટલું જ નહીં પણ પોતાના અભિપ્રાયને શરીરની કોઈ પણ ચેષ્ટા દ્વારા અભિવ્યક્ત ન કરવો. વાણીના મૌનવાળા તો સ્લેટ કે કાગળમાં લખીને પણ વિચાર પ્રદર્શિત કરે છે જયારે કાષ્ઠમૌનમાં તેનો પણ નિષેધ છે, (૨) આકારમૌન અર્થાત્ માત્ર વાણીથી જ ન બોલવું તે આકારમૌન છે. આવું તપ કરનારા પોતાના અભિપ્રાયને વ્યક્ત કરવા ઈશારા, હાવભાવ, મુદ્રાઓ અને કાગળ-પેન્સિલનો ઉપયોગ કરે છે. આમ વાણનો ઉપયોગ ન કરવો તે પણ તપ કહેવાય છે. પંચાગ્નિ તપ, છૂચાંદ્રાયણ તપ, સાંતપન આદિ તો કરવા એ સૌ તપના જ પ્રકાર છે. આમ છતાં મન, વાણી અને શરીરની વધુ પડતી
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy