SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૭) (૧)અર્જનદોષ: જે વસ્તુની વિષયની પ્રાપ્તિ માટે અયોગ્ય પ્રવૃત્તિ કરવી પડે; લાંચરુશવત કે છેતરપિંડી કરવી પડે, બીજાને અને જાતને અર્થાત્ સ્વયંને તેમ જ સમાજને છેતરવો પડે, અસત્ય ભાષણ અને આચરણ કરવું પડે, નૈતિક અને રાજકીય કાયદા તોડવા પડે અને ત્યાર બાદ જ જે ધન કે ભોગ્યપદાર્થો મળે તો તે મેળવવામાં જે દોષ થાય છે તેને અર્જનદોષ કહે છે. (૨)રાણદોષ; ભલે શાસ્ત્રોક્ત રીતે ધન કે ભોગ મળતાં હોય કે પછી અનાયાસે મળ્યાં હોય પણ તેના રક્ષણની સતત ચિંતા રહે તો તે સ્વીકારેલ વિષય કે વસ્તુમાં રહેલો રક્ષાગદોષ કહેવાય છે. રાત્રે ઊંઘ ન આવે કારણ કે પ્રાપ્ત કરેલી વસ્તુનો નાશ થવાની ચિંતા રહે. જે પોતાની ચિંતા પ્રભુને ન સોંપે, તેને પ્રભુ ભોગ પણ આપે છે. અજાણતાં જ આપણે ભોગ માગી ચિતા જેવી ચિંતા આવકારીએ છીએ. (૩)મયદોલ: પ્રાપ્ત કરેલી વસ્તુમાં તેના વિનાશને ભય છે, અને વિનાશ થાય તો દર્દ કે ક્લેશનો ભય છે. અને એક વસ્તુ તો સત્ય જ છે કે સમય અને દેશમાં મનુષ્ય પ્રયત્ન દ્વારા જે આજે મળ્યું...તે કાલે જવાનું જ છે. જેની ઉત્પત્તિ થઈ તેનો નાશ થયા વિના રહેવાનો નથી. આમ સંગ્રહ કે પરિગ્રહમાં સદોષ રહેલો છે. (૪) સંગદોષ: જેમ જેમ પ્રાપ્ત કે ભેગી કરેલી વસ્તુનો ભોગ કરીએ તેમ તેમ ઈન્દ્રિયો ક્ષીણ થતી જાય છે. અને જેનો ભોગ થાય તેના તરફ રાગ વધતો જાય છે. આમ, મન વિષયાસક્ત બને છે, ચંચળ બને છે અને ઇન્દ્રિયોનું તેજ હણાઈ જાય છે. આને સંગદોષ કહે છે. (૫) હિંસાદો: કોઈ પણ વિષય કે વસ્તુને એક્ત કરી, પરિગ્રહ કરી તેનો ભોગ ભોગવવામાં જાણે-અજાણે હિંસા થતી જ હોય છે. સૂક્ષ્મ અને શુદ્ર જંતુઓની હિંસા વિના ભોગ શક્ય જ નથી. આને હિંસાદોષ કહે છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy