________________
(૩૩૫)
તત્ત્વદર્શીની દૃષ્ટિમાં તો બ્રહ્મમાં સદાસર્વદા રમણ કરે તે બ્રહ્મચારી-તેવા અર્થો છે. ગીતામાં એવું કહ્યું છે કે જ્ઞાની એવું માને છે કે ઇન્દ્રિયો જ ઈન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ સમજીને પોતે કાંઈ જ કરતો નથી.
"इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ॥
જ્ઞાનીની દૃષ્ટિ જ કંઈક વિલક્ષણ છે, તેનો નિષ્કર્ષ કંઈક આવો છે. “આશા કરે જો ભોગકી; સો ભોગમેં હંસ જાત હેઃ જો દ્વેષ કરતા ભોગસે; સો ભી ન છુટ્ટી પાય હૈ॥ આશા, નિરાશાસે છૂટા, સો યોગ સમ્યક્ કર ચૂકા લ જ્ઞાનકા ભી પી ચૂકા; સબ કર ચૂકા; સબ ધર ચૂકા ॥ “નહિ રાગ કરતા ભોગમેં; નહિ દ્વેષ કરતા ભોગસે।
નહિ પાસ જાતા યોગ કે; નહિ દૂર રહતા યોગસે ॥
નહિ ઇન્દ્રિયાં હોતી વિકલ; નહિ રક્ત હૈ ન વિરક્ત હૈ।
હૈ તુમ અપને આપમેં; સો પ્રાશ જીવનમુક્ત હૈ!”
શ્રી રંગ અવધૂત પોતે બ્રહ્મચારી હતા અને તેમણે હું કેમ બ્રહ્મચારી
છું, કેવો છું બ્રહ્મચારી હું......તે જણાવતાં લખ્યું છે...
“ના મૈં નાહતા, ના મૈં ધોતા, સ્વૈર મોમેં ફિરતા કાલી કંબલ, ભગવી ચાદર; ઝોલી શ્વેત ટિંગાતા પંથ ભેખકી બાત ન જાનું-નિજાનંદમેં રહતા..... નિત નિત નૂતન ભોગ ભોગ કે બ્રહ્મચારી કહેલાતા નારી-નરકે વસ્ત્ર ખીંચકર દિવ્ય તનુ દિખલાતા ઈશ્ક હકીકી પીંક પ્યારે ઘોર અઘોરી બનતા આખર જીવ શિવકો પીંક નિરાલંબમેં સોતા.”
આમ, તત્ત્વની દૃષ્ટિએ નિત્ય નિરંતર આત્મસ્મરણમાં જ મગ્ન રહેનારો બ્રહ્મચારી છે. અને તત્ત્વાર્થ આત્મસાત્ થાય તો; દેહાભિમાન અને તેની ક્રિયાઓ થાય છતાં ન થાય; થાય છતાં ફળ ન આપે, આમ જ્ઞાનમાં નથી કોઈ સંયમ, નથી કોઈ નિગ્રહ. છતાં વ્યક્તિ બ્રહ્મચારી છે. બ્રહ્મચારીએ આશ્રમમાં નથી; આશ્રમ તેનામાં નથી, બ્રહ્મચર્ય કોઈ ઉપાધિ નથી, કોઈ