SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૨) નિદિધ્યાસન થશે નહીં ત્યાં સુધી સાક્ષાત્કાર, આત્મજ્ઞાન કે મુક્તિની દિશામાં પ્રગતિ થઈ શકશે નહીં. તેથી આત્મવિચાર કે મોક્ષમાર્ગે અંતે તો નિદિધ્યાસન જ કરવાનું છે. તો શા માટે અત્યારથી જ તેની શરૂઆત ન કરવી? ઘણાને પ્રશ્ન થાય છે કે નિદિધ્યાસન ક્યાં સુધી કરવું? કેટલા દિવસ તેનું અનુષ્ઠાન કરવું કે ઉપાસના કરવી? આવો પ્રશ્ન કરનારે વિચાર્યું નથી કે આપણું અજ્ઞાન કેટલું જૂનું છે! જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી નિદિધ્યાસન કરવું જરૂરી છે. પ્રપંચની નાબૂદી થાય કે અજ્ઞાન દૂર થાય, ત્યાં સુધી સતત નિદિધ્યાસન કરવું જોઈએ. તેવું સૂચન અહીં શ્લોકમાં જણાવ્યું છે કે “વિવિધ્યાસનમ gવ સ ફાર્ય” અથતુ જ્યારે હું કર્તા છું, ભોક્તા છું, દેહ છું, જન્મમૃત્યુવાળો છું તેવી ભ્રાંતિ સમાપ્ત થાય ત્યારે જ નિદિધ્યાસન સમાપ્ત કરવું... બાકી તેને સદાનું કાર્ય સમજી અનુસરવું. એ જ મુમુક્ષુનો અંતિમ માર્ગ છે. આથી ભક્ત કવિ નરસિંહે કહ્યું છે, જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” સાધકની અંતિમ સર્વશ્રેષ્ઠ સાધના નિદિધ્યાસન છે. એ જ સંચિત, આગામી અને પ્રારબ્ધ કર્મને ભસ્મીભૂત કરવાનો આખરી ઉપાય છે. આપણા અનેક જન્મોના પૂર્વસંસ્કારો એટલા બધા દઢ થયેલા છે કે ઊંધમાં પણ કોઈ આપણું નામ બોલે તો આપણે જાગી જઈએ છીએ. આપણે કદી વિચારતા નથી કે આપણે નામ નથી અને તે નામવાળી આકૃતિ કે દેહ પણ આપણે નથી. એટલું જ નહીં પણ ખોટા તાદાત્મ દ્વારા એવા તો આપણે ભ્રમણામાં પડયા છીએ કે આપણે કંઈ કર્યું નથી; કંઈ કરી શકીએ નહીં; આપણે ખાધેલું અન્ન પણ આપણે પચાવી શકીએ તેમ નથી અને પચાવતા પણ નથી. ભગવાને તો ગીતામાં કહ્યું છે, “હું જ ચારે પ્રકારનાં અન્ન પચાવું છું” પારિ મન તુર્વિધ” છતાં આપણે માની બેઠા છીએ કે “હું પચાવું છું, હું જ ખાવાની ક્રિયા કરું છું આમ આપણે કર્તા બની બેઠા છીએ અને નરસિંહ મહેતા કહે છે તેમ “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જયમ શ્વાન તાણે” કર્તાના સ્વીકારમાં જ કર્મ, ફળ અને ભોગ છે. હવે વિચારતાં સમજાય છે કે "હું તો શરીરના, મનના, ઈન્દ્રિયના કર્મનો સાક્ષી છું. અકમી અને અક છું. છતાં દઢ તાદાસ્યથી રીઢા થયેલા સંસ્કાર નીકળતા નથી, અને આવા સંસ્કારોને નિર્મૂળ કરવા માટે બે-પાંચ દિવસના કે એકાદ માસના પ્રયત્નો
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy