SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૭) તેમ જ આત્મજ્ઞાન થતાં કત પોતે જ મૃત્યુ પામે છે. અજ્ઞાનથી જ કર્તા હતો. હવે જ્યાં કર્તા જ નથી ત્યાં કર્મ કેવાં? પછી તે આગામી, સંચિત કે પ્રારબ્ધ હોય તેમાંથી કોઈ બચી શકે નહીં. આ ચર્ચાના અંતે ફલિત થાય છે કે પ્રારબ્ધની ચર્ચા કે નિર્દેશ માત્ર અજ્ઞાની માટે છે. અને પ્રારબ્ધનો પણ જ્ઞાનમાં નાશ થાય છે માટે શ્રુતિમાં બહુવચન વાપરી સ્પષ્ટતા કરી છે કે “ક્ષીને વાચ વર્માન.” પ્રારબ્ધનો સ્વીકાર એ જ યુતિ અને વેદાન્તનો ઈન્કાર મોટા ભાગે જીવનમાં સૌને આશ્વાસનની જરૂર પડતી હોય છે. કાં તો જાતે જ મનને મનાવવા અથવા બીજાને મદદ કરવા તેમાં પ્રારબ્ધનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. અને ઉપયોગિતાની દષ્ટિએ પ્રારબ્ધનો સ્વીકાર કરવો તે જ ડહાપણભર્યું પગલું છે. તેવી શંકાના સંદર્ભમાં અહીં શ્લોકમાં જણાવ્યું છે કે ના, તે યોગ્ય નથી. તેમ કરવાથી તો આપણે જાતે જ વેદાન્તવિચારની વિરુદ્ધ જઈશું અને આપણે જ આપણા માટે હાનિકર્તા પુરવાર થઈશું. उच्यतेऽज्ञैर्बलाच्वैतत् - तदानर्थद्वयागमः। वेदान्तमतहानं च यतो ज्ञानमिति श्रुतिः ॥ ९९ ॥ તત્ વત્તા મ ૩જો = જો અજ્ઞાનીઓ બળપૂર્વક (પ્રારબ્ધ) સ્વીકારે તલા અનર્થયામ: = તો બે અનર્થ દોષ પ્રાપ્ત થાય, વેલાન્ત મતદાનમ્ = વેદાન્તના મતનું ખંડન થાય ૨ યત: જ્ઞાનમ્ રૂતિ શ્રુતિઃ - અને જે કૃતિથી આત્મજ્ઞાન થાય છે તે શ્રુતિ ખોટી ઠરે. જે અજ્ઞાનપૂર્વક બળજબરીથી પ્રારબ્ધનો સ્વીકાર કરવામાં આવે તો શ્લોકમાં જણાવ્યું છે કે બે અનર્થદોષ પ્રાપ્ત થાય છે. તે સમજીએ. | ‘તા મનWયામ:' (૧) પ્રથમ તો વેલાના મતદાનમ્ = વેદાન્તના મતનું ખંડન | વેદાન્તનો મત છે કે મોક્ષ છે અને તે માત્ર જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. હવે જે પ્રારબ્ધનો સ્વીકાર કરવામાં આવે તો જ્ઞાનપ્રાપ્તિની જરૂર રહે નહીં
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy