SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૦) કાર્ય કહેવાતો; આમ જાણવો તે વિશેષ રીતે જાણવું છે. “સૂક્ષ્મત્વાત્તત્ મવિશેયમ્ સ્થમ્ ચ અન્તિ, ૨ તત્’॥ ગી.અ. ૧૩/૧૫॥ “આત્માને એવી રીતે જાણવો કે જે સૂક્ષ્મ હોવાથી અવિશેય=ન જાણી શકાય તેવો છે અને અજ્ઞાનીને દૂર હોવાથી પણ અવિશેય છે. જ્યારે જ્ઞાની માટે તે પાસેમાં પાસે છે.” આવી રીતે જ્ઞાનીને સર્વ કાંઈ પોતાની અંદર અને પોતાના સ્વરૂપે જ જણાય છે ત્યારે એ અભેદ; અભય અને અદ્વૈતભાવમાં શરીર આત્મા જ છે તેવું કહેવા માટે પણ ભેદ રહેતો નથી. આમ જ્યાં શરીરભાવ નથી ત્યાં સ્વમાન; અપમાન; બહુમાન નથી. ગતિ, પ્રગતિ, અધોગિત નથી. અને જ્યાં હું” ‘અહમ્ એવો અહંકાર નથી તો સંસાર નથી. “અજી હું નહીં તો જગ કહીં ?” મનનશીલ મુમુક્ષુનું કર્તવ્ય આત્મવિચારણાના યાત્રીની જીવનદૃષ્ટિ आत्मानं सततं जानन् कालं नय महाद्युते । [મહામà-પાઠભેદ] प्रारब्धमखिलं भुञ्जन् नोद्वेगं कर्तुमर्हसि ॥ ८९ ॥ દે મહાદ્યુતે હૈ (મહામત્તે)=હે મોટા ભાગ્યશાળી આત્માનમ્ સતતમ્ નાન=આત્મા સંબંધી સતત જ્ઞાન મેળવતો મેળવતો જિતમ્ નય...=સમય પસાર કર, અવિતમ્ પ્રારબ્ધમ્ મુન્ત્રમ્ =તારું પ્રારબ્ધ સંપૂર્ણ રીતે ભોગવતાં રદેશમ્ તુંમ્ ન અસિ=ઉદ્વેગ કે શોક કરવો ઇચ્છનીય નથી. ‘આત્માનમ્ સતતં જ્ઞાનમ્ અહીં ‘સ્વ’ની સાચી પરખ વિશે સંકેત છે. આત્મવિચાર દ્વારા; સ્વરૂપચિંતન દ્વારા; જીવ, જ્ગત અને ઈશ્વરના સંબંધો વિશે મનોમંથન દ્વારા તું તેને જાણ. જગતના ભૌતિક પદાર્થોને ઓળખવા તે જાણવું નથી. તે તો જ્ગતની માહિતી ભેગી કરવા જેવું છે. તે તો ‘ઈન્ફર્મેટિવ નૉલેજ’ છે. ‘માહિતીપ્રદ શાન છે’ અર્થાત્ તે તો કોઈ વસ્તુ; વ્યક્તિ કે પરિસ્થિતિની માહિતી છે. માહિતી માટે ‘નો’ ‘ની’ ‘નું” ‘ના’ અને અંગ્રેજીમાં ‘ઑક્’ વપરાય. દા.ત. વસ્તુ કે પદાર્થનું જ્ઞાન ‘નૉલેજ ઓર ઈન્ફરમેશન ‘ઑ' એન ઑબ્જેક્ટ. પણ અહીં જે જ્ઞાનની વાત
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy