SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર જેમ જન્મનો ભાસ થાય તેને નાત્યામા કહી શકાય. જેમ કે છગન-મગનનો જન્મ. ખરેખર તો “છગન મગન” નામ છે. નામનો વળી જન્મ કેવો? અરે, જન્મ જેવું ભાસે છે. જે જન્મ જ નથી તો છગન મારો; અને મગન તમારો કેવો? અરે, મારા-તમારા જેવું ભાસે છે. ખરેખર તો કોઈનું કંઈ જ નથીકારણ કે કંઈ છે જ નહીં. પણ ભાસે છે. માટે કંઈ નથી” તે કહેવા જેવું પણ રહ્યું નથી. આવ્યો નગન જાવું નગન કોનો છગન! કોનો મગન! આમ કંઈ ઉત્પન્ન થયું નથી. કોઈ કાળે કોઈ જન્યું જ નથી છતાં જેમ સળગતું લાકડું ફેરવવાથી વર્તુળ દેખાય છે, ભાસે છે, પ્રતીત થાય છે તેમ જન્મ ભાસે છે, ઉત્પત્તિ પ્રતીત થાય છે. જેમ જન્મેલા જેવા ભાસતા છગન-મગનમાં હલનચલન ભાસે છે, તે ચાલતા જતા હોય તો ગતિ ભાસે છે. “છગન જાય છે” “મગન આવે છે' તેમ આત્મા પણ જતો-આવતો, જૂના શરીરને છોડતો, નવા શરીરને પકડતો કે શરીરમાં પ્રવેશ કરતો ભાસે છે. આવા આભાસને વતામાસ કહી શકાય. અને એ જ પ્રમાણે વિચારતાં આત્મા તો વસ્તુથી મુક્ત છે...છતાં વસ્તુ જેવા જ સ્વગત, સજાતીય-વિજાતીય-ભેદ આત્મામાં ભાસે છે. અભેદ આત્મામાં ભેદ નથી અને છતાં પ્રતીત થાય છે. તઉપરાંત વસ્તુ જેવા ગુણ પણ આત્મામાં ભાસે છે. દા.ત. છગન ગોરો છે. મગન કદરૂપો છે. વાસ્તવમાં “છગન’ ‘મગન” પરમાર્થે તો -રૂપ, રંગ, ગુણથી મુક્ત છે. છતાં આત્મા વિશે આવા આભાસને સ્વામી (વસ્તુમામાસ) કહી શકાય. આમ આત્મઅજ્ઞાનને લીધે જ આત્મા જન્મતો, આવજા કરતો, વસ્તુ જેમ ભેદ અને ગુણવાળો અને શરીર જેમ ગતિવાળો ભાસે છે. महत्त्वे सर्ववस्तुनामणुत्वं ह्यतिदूरतः। तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८॥
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy