________________
(૨૩૭)
પણ અંતે તો જે સૌ નામ-આકારનું અધિષ્ઠાન છે તેની જ તે જાણ્યે-અજાણ્યે આરાધના છે. અને તે અદ્વૈત તત્ત્વ જ સૌમાં અવ્યક્ત છે સર્વવ્યામ છે. માટે યાદ રાખીએ કે ભ્રાંતિ છે તો જ્ગત છે. અને ભ્રાંતિ નથી તો પરબ્રહ્મ છે. બ્રહ્મમયી દષ્ટિ હશે તો ભ્રાંતિના ભેદ પણ બ્રહ્મમય જ જણાશે.
“રામ કહો રહેમાન કહો કોઇ અઉરમઝદ કોઇ બુદ્ધ બખાના કૃષ્ણ કહે ક્રાઇસ્ટ કહે કોઉ, જીન કહે કોઉ પારસનાથા મહાદેવ કોઉ ગણપતિ દેવા; શક્તિ કાલિકા કો કર સેવા વસ્તુ એક કિન નામ અનન્તા: રૂપ મૃત્તિકા ઘટ ઘટ પેખા.”
- શ્રી રંગ અવધૂત
घटनाम्ना यथा पृथ्वी पटनाम्ना हि तन्तवः । जगन्नाम्ना चिदाभाति ज्ञेयं तत्तदभावतः ॥ ६४ ॥
યથા=જેવી રીતે
પૃથ્વી ઘટનાના=પૃથ્વી જ ઘડાના નામથી સિદ્ધ છે, દિ-અને
તન્તવ: પટનાના=તંતુઓ જ પટના નામથી સિદ્ધ છે,
ચિત્ નમન્નાના આમાતિ=(તેમ) ચિત્ત-ચૈતન્ય જગતના નામથી સિદ્ધ
છે,
તસ્ય અમાવત:=(માટે) નામના અભાવથી (કાર્યના અભાવથી)
તત્ જ્ઞેયક્=અનામીને (કારણને=અધિષ્ઠાનને) જાણી લેવું જોઇએ.
હવે આચાર્યશ્રી જે ભેદ છે, ભ્રાંતિ છે, આરોપ છે, અનેા છે, નામ છે, આકાર છે, દૃશ્ય છે, વ્યક્ત છે, જન્મેલું છે, પ્રાગભાવ કે પ્રધ્વંસાભાવયુક્ત છે જ્ઞેય છે, સાધ્ય છે, કાર્ય છે, પ્રતીતિ માત્ર છે, તે સર્વ નામી છે અને તેના અભાવથી જ અનામી અનંત, પરબ્રહ્મને જાણી લેવું જોઇએ.
જેમ એક માટી જ ઘડો, નળિયાં, કોડિયાં, ઈંટ, કલાડી રૂપે જણાય છે, અને ઘડો એટલે જ માટી તેમ જેવું પ્રસિદ્ધ છે, જેમ તંતુઓ જ અનેક વસ્રોના નામથી સિદ્ધ થયેલ છે તે જ પ્રમાણે એક અદ્વૈત બ્રહ્મ જ દરેક નામ અને આકારની પાછળ ચૈતન્ય તરીકે સિદ્ધ થયેલ હકીકત છે. નામ અને આકારનો લય થતાં, આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ