SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૫) જેવું ભાસે છે. તેવું જ સડક પર ડ્રાઈવિંગ કરતાં ઉનાળામાં ડ્રાઇવરને સડક પર દૂર પાણી દેખાય છે; પણ હોતું નથી. “શાળા પુરુષત્વ” તેવી જ ભ્રાંતિથી સુકાયેલા વૃક્ષમાં માણસની આકૃતિ દેખાય છે. આમ જે કોઈ વસ્તુના લીધે બીજી વસ્તુ દેખાય તે ભ્રાંતિ જરૂર છે. પણ તેને ઈલ્યુઝન કહે છે. અને જ્યારે નજર સમક્ષ કંઈ જ ન હોય અને છતાં જે કંઈ દેખાય તો તેને હેલ્યુસિનેશન કહે છે. આમ માનવજીવન ભ્રમવિભમ તેમ જ મતિભમથી ભરપૂર છે અને તે જ કારણે પરબ્રહ્મનું દર્શન દુર્લભ થઈ પડયું છે. આવી કોઈ જન્મોજૂની ભ્રાંતિ ઢ થતાં, અનાત્મા સાથે ખોટા તાદાત્મને લીધે નિત્યચૈતન્ય બ્રહ્મ, જડ ગત જેવું ભાસે છે અને અભેદ આત્મામાં અસંખ્ય ભેદ પ્રતીત થાય છે. તેથી શ્રી રંગ અવધૂત સૂચવે છે. “દીસે કીકી મહીં કાળું ન તોયે એહ અંધારું, જુઓ નીલું બધું તોયે; સદા છે વ્યોમ એ ન્યારું રહો હરદમ હકીકીમાં, મિજાઝી મોત બહુ રંગી, સખુન છેલ્લો ન બસ આગળ રહેવું મૌન એકાંગી.” यथैवशून्ये वैतालो गन्धर्वाणां पुरं यथा। यथाऽऽकाशे द्विचन्द्रत्वं तद्वत्सत्ये जगत्स्थिति: ॥२॥ યથા વ જેવી રીતે જે તાત: નિર્જન સ્થાનમાં ભૂતનો ભય; ગંધર્વાના પુરમુ આકાશમાં ગંધર્વનગરની ભ્રાંતિ; ચથી માવો દિવં ત્વમુકઆંખનો ખૂણો દબાવતાં આકાશમાં બે ચંદ્ર દેખાય છે. છતાં તે સૌ મિથ્યા છે. તવત્ સો નાસ્થિતિ: તે જ પ્રમાણે સત્યમાં, બ્રહ્મમાં ક્વતની મિથ્યા સ્થિતિ જ દેખાય છે. અજ્ઞાનીને જગત ભોગ્ય અને પોતે ભોક્તા તેવું માત્ર ભ્રમથી જ જણાય છે. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી કર્તા, ભોક્તા, કર્મ, કારણ, ફળ, જીવ, mત અને ઈશ્વરની ભ્રાંતિ નષ્ટ થશે નહીં. આત્મદર્શન માટે સ્વરૂપના સાક્ષાત્કાર માટે જ્ઞાનચક્ષુની... જરૂર છે. તે સિવાય
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy