________________
(૨૨૯)
છે તે અનિત્ય કે મિથ્યા પદાર્થોમાં રમણ ઇચ્છતો નથી કે નથી દીર્ઘ આયુષ્યની ઇચ્છા કરતો.
“અતિવીર્યે નીવિતે જે મેત્” કારણ કે ગમે તેટલું દીર્ઘાયુષ્ય અંતે તો અલ્પ અને નાશવાન જ છે. “યલાં તન્મર્ત્યમ્” (છાં.) “યમેવ મવેમિથ્યા।” ત્રણે અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ મિથ્યા રે છે, કારણ કે દરેક અવસ્થા માત્ર એક એક સમયે જ દૃશ્ય હોય છે એક કાળે તેમનો ત્રણેયનો બાધ થાય છે. દરેક અવસ્થા માત્ર વચ્ચે વચ્ચે જ જણાય છે. દા.ત. જાગ્રત અવસ્થા... સ્વપ્નમાં જણાતી નથી. જાગ્રતમાં આપણે કોઈના ભાઈ, માતા, પિતા, બ્રાહ્મણ ગમે તે હોઈએ તે જ્ઞાન સ્વપ્નમાં રહેતું નથી. તેથી આપણે નથી ભાઈ સાચા, નથી બાપ સાચા, નથી આપણું માતૃત્વ સાચું, નથી જાગ્રતનું ધન સાચું, કેમ કે જાગ્રતમાં, ધનવાન હોય અને સ્વપનમાં ભીખ માંગતો હોય, નથી ચારિત્ર્ય સાચું કેમકે જાગ્રતમાં ગુણવાન હોય, સ્વપ્નમાં ચોરી કરતો હોય. નથી જાગ્રતનો વૈભવ સાચો. જાગ્રતમાં એરકન્ડિશનવાળો બંગલો હોય, પણ સ્વપ્નમાં ઝાડ નીચે સૂતો હોય... એટલું જ નહીં, જાગ્રતમાં આપણી માલમિલક્ત, મિત્રો, નોકરી, સત્તા, જ્ઞાન, સ્નેહીજનો, ઉપાધિ, આધિ અને વ્યાધિ ગમે તે હોય, તેમાંનું કંઈ સુષુપ્તિમાં રહેતું નથી.
બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે સુષુપ્તિમાં પુરુષ અંદર-બહારના કોઈ વિષયને જાણતો નથી. અરે, સ્વપ્નના અને જાગ્રતના તમામ પદાર્થો અને વિષયોનો ત્યાં બાધ થઈ જાય છે. અરે, સ્વપ્ન અને જાગ્રત અવસ્થાનો જ સુષુપ્તિમાં લય થઈ જાય છે. “તમે યમ્ વ નાસ્તિ” માટે જ સુષુપ્તિમાં
" अत्र पिता अपिता भवति माता अमाता लोका अलोका देवा अदेवा વેલા અવેલા: તેનો અસ્તેનો મવતિ' સુષુપ્તિમાં પિતા અપિતા, માતા અમાતા, લોક અલોક, દેવ દેવ, વેદ અવેદ અને ચોર પણ અચોર બને છે. આમ જાગ્રત અને સ્વપ્નનો બાધ થાય છે તેથી તે બન્ને અવસ્થા અસત્ કે મિથ્યા છે, અને તે બન્ને અવસ્થા એક જ કાળે દેખાય છે. સ્વપ્નમાં જાગ્રત અવસ્થા નથી હોતી અને સુષુપ્તિમાં પણ તેનો લય હોય છે. તેથી જ જાગ્રતાવસ્થા મિથ્યા છે. તેવી જ રીતે સ્વપ્ન જાગ્રત અવસ્થામાં હોતું નથી અને સુષુપ્તિ સમયે બચતું નથી, તેથી મિથ્યા છે જ્યારે સુષુપ્તિ પણ