SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) છું, બળવાન છું, વિદ્વાન છું અગર નિર્ધન, નિર્માલ્ય અને નિર્બળ છું. પણ હું કંઈક છું તેવા અહમ્ ભાવમાંથી જ જે મારા જેવો છે; તે મારો છે. મારા સગા છે તે મારા છે; અમારા છે; અમારાની જ્ઞાતિ, અમારી છે. અને મારા-અમારાના કુંડાળાની બહાર છે તે પરાયા અને પારકા છે, પણ સૌની વચ્ચે હું કંઈક છું તેવો ભાવ તે જ અહંકાર છે. જયાં અહમૃભાવ છે ત્યાં મનમાવ છે. આમ ભેદની શરૂઆત થાય છે તેમાંથી મારા માટે મોહ જન્મે છે; પરાયા માટે દ્વેષ જન્મે છે. પણ તેનું મૂળ તો “સ્વ-સ્વરૂપના અજ્ઞાનમાં જ છે તે જ અહીં સમજાવવાનો પ્રયત્ન થયો છે. यत्राज्ञानाद्भवेद्वैतमितरस्तत्र पश्यति। आत्मत्वेन यदा सर्व नेतरस्तत्र चाण्वपि॥५३॥ યા તમારે જે દૈતભાવવાળી અવસ્થામાં અજ્ઞાન તમે મત =અજ્ઞાનથી તબુદ્ધિ દેખાય છે. તત્ર તિર મચી ત: પરસ્થતિ =અન્ય અન્યને જુએ છે. યા સર્વ આત્મત્વેન [પતિ]= જયારે સર્વમાં આત્મા કે પોતાપણું દેખાય છે. તત્ર મ મ ત ર પસ્થતિ ત્યાં પોતાથી ભિન્ન અણુમાત્ર પણ જોતો નથી. “તત્ર મg: પિ હતાં પરિ” જ્ઞાનમાં જયારે પોતાનાથી ભિન્ન કે આત્માથી ભિન્ન કંઈ જ દેખાતું નથી ત્યારે ભેદ કે ભયનું કારણ અજ્ઞાન પણ રહેતું નથી. પણ આવી સ્થિતિ થાય ક્યારે? અને કઈ રીતે થાય? તે સ્વાભાવિક પ્રશ્ન છે. આવી આત્મદર્શનની સૂક્ષ્મ દષ્ટિ પ્રાપ્ત કરવા ગહન ચિંતનની જરૂર છે, બ્રહ્મભાવ કે આત્મભાવ દ્ધ કરવાની જરૂર છે. જો ચિંતનનો આપણામાં અભાવ હોય તો હું બ્રહ્મ છું” તે ભાવ સ્થિર ન થાય અને હું અને સર્વ પરિચ્છિન્ન જ જણાય. ચિંતન કરતાં જ ન આવડે અને પ્રશ્ન થાય કે ચિંતન-મનન શેનું કરવું? તેણે શ્રવણ કરવું જોઈએ. શ્રવણથી “વિવેક જાગશે અને આત્મા-અનાત્માનો ભેદ સમજાશે. એટલું જ નહીં, આત્મા શું છે તેનું જ્ઞાન થશે અને પોતાના સ્વરૂપ વિશેનું મિથ્યા જ્ઞાન કે અજ્ઞાન દૂર થશે. પછી ચિંતન કે મનનનો રસ્તો સરળ થશે. (૧)તત્વનું કે આત્માનું અજ્ઞાન દૂર કરવા શ્રવણ આવશ્યક છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy