SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૪) ભેદભાવી માને છે કે mત કે સુષ્ટિ અરિામાં તપેલા લોહપિંડ જેવી છે. તેમાં પરમાત્મા અરિની જેમ વ્યાપક છે અને લહપિંડ વ્યાપ્ય છે. આમ mત અને તેનો રચયિતા જુદો છે, એક વ્યાપક અને બીજું વ્યાખ છે તેવો ભેદ કે ભિન્નતા તેમને સ્વીકાર્ય છે તે સૌ ભેદવાદી છે. ભેદવાદી ઉપાધિના ભેદને સાચા ભેદ માની બેઠા છે. પ્રતીતિને પૂર્ણ સત્ય જાણી ચૂક્યા છે. કારણ કે “સ્વ” સ્વરૂપને શરીર સમજી બેઠા તેથી ભેદવાદી નામ-આકારમાં કેદ થયા અને માટે જ પોતાને વ્યષ્ટિ તરીકે સ્વીકારી ચૂક્યા પછી સમષ્ટિનો ઇન્કાર ન જ થાય. જે પોતાને વ્યક્તિ માટે તેણે વિરાટને સ્વીકારવું જ પડે. આમ ભેદ તેમને સ્વીકાર્ય થઈ પડ્યા અને પોતાની પામરતા દૂર કરવા ઈશ્વરની મહાનતાને ભેદદશીએ આવકારી. ઉપાધિ તેમણે પોતાની અને ઈશ્વરની સાચી જાણી. પોતે કાર્ય અને અવિદ્યાની ઉપાધિથી જીવ બન્યા, અને ઈશ્વરને કારણ અને માયાની ઉપાધિથી ઈશ્વર બનાવ્યો. ત્યાર બાદ પોતાની સમજ દ્વારા ભેદદશઓએ કહ્યું કે જીવ અને ઈશ્વર જુદા છે પણ હકીકતમાં જીવ અને ઈશ્વરમાં ચૈતન્ય તો એક જ છે-જે ઉપાધિ દૂર કર્યા વિના ન સમજાય. અને ભેદદશ દ્વારા નિરુપાધિક તત્વ નથી સમજાયું માટે જ તેમણે વ્યાપ્ય અને વ્યાપકતાના ભેદ ઊભા કર્યા છે. તેમની વિચારધારામાં તો ઘટાકાશ વ્યાપ્ય છે અને મહાકાશ વ્યાપક છે. ખરેખર આકાશ તો એક અનંત છે. તેમાં કંઈ વ્યાખ કે વ્યાપક તેવા ભાગલા ન થઈ શકે. ઘડો બન્યો તે પૂર્વે પણ આકાશ હતું. ઘડો ઘડાઈ રહ્યો છે ત્યારે પણ આકાશ છે. અને ઘડાના ધ્વંસ પછી પણ તે રહે છે જ. હકીકતમાં તો આકાશમાં જ ઘડો ઘડાઈ રહ્યો હતો. ઘડો બન્યા પછી આકાશે ઘડામાં પ્રવેશ કર્યો નથી કે જેથી બન્નેમાં ભેદ પાડી શકાય. તેવી જ રીતે શરીરરૂપી ઘડો બન્યા પછી તેમાં આત્માએ પ્રવેશ કર્યો નથી કે ચિત્તરૂપી ઘડાના નિર્માણ પછી ચૈતન્ય અંદર પ્રવેશ લીધો નથી. ચૈતન્ય કે આત્માના અધિષ્ઠાન ઉપર જ શરીર કે ચિત્તરૂપી ઘડો આરોપિત છે. તેથી તે બન્ને આત્માથી જુદા છે, ભિન્ન છે તે ભ્રાંતિ છે જ્યારે આપણે શરીરને આત્મા માની લઈએ ત્યારે જ ભિન્નતા કે અનેકતા સર્જાય છે. પણ આત્મા અધિષ્ઠાન છે; જેના પર ભિન્નતા આરોપિત છે; અનેકતા પ્રતીતિ માત્ર છે તેવી સમજ આવતાં જ “હું પરબ્રહ્મ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy