________________
(૧૦૦)
જે એક વૃક્ષ જેમ સ્વ-સ્વરૂપમાં અચળ છે, તે આત્મા વડે આ સર્વ ગત પૂર્ણ છે.
આત્મા કે જેને પુરુષ નામથી સંબોધી શાસ્ત્રોએ તેના સ્વરૂપની સ્પષ્ટતા કરી આપી છે. તે જ પુન: પ્રગટ કરે છે.
सर्व पुरुष एवेति सूक्ते पुरुषसंज्ञिते ।
अप्युच्यते यतः श्रुत्या कथं स्याद् देहकः पुमान् ॥३५॥ સર્વ પુષ વ= આ સર્વ પુરુષ જ છે,
કૃતિ પુરુષ સંક્ષિતે સૂવશે એવું રુદ્રીના પુરુષસૂક્તમાં (કહેવાયું છે)
મ્રુત્યા અપિ યતઃ ૐન્યતે શ્રુતિ દ્વારા પણ તેમ જ કહેવાયું છે, જુમાન્ રેહા જ્યમ્ સ્વા= તેથી આત્મા કે પુરુષ દેહ કઈ રીતે હોઈ
શકે?
'सर्व पुरुष एवेति सूक्ते पुरुष संज्ञिते
વેદના ‘પુરુષસૂક્ત’ ભાગમાં સ્પષ્ટ છે કે આ જે કંઈ સ્થાવર-જંગમ; દશ્ય-અદશ્ય; વ્યક્ત-અવ્યક્ત; જડ-ચેતન; સાકાર-નિરાકાર;સગુણ-નિર્ગુણ; નામી-અનામી છે; તે સર્વ આત્મા કે પુરુષ જ છે. સંસારનો આરોપ માનો તો પણ તે પરમ પુરુષના અધિષ્ઠાન વિના અસ્તિત્વમાં નથી. તેથી ગૃતમાં પણ જે સારું-નઠારું; દેવ-દાનવ; મિત્ર કે શત્રુ; સ્ત્રીલિંગ-પુલ્લિંગ કે નપુંસકલિંગ જે કંઈ છે તે આ પુરુષ જ છે. પુરુષમાં જાતિના, આશ્રમના, વર્ણના કોઈ ભેદ નથી. તેવી સ્પષ્ટતા માટે જ પુરુષસૂક્તમાં કહ્યું છે કે...
" पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥”
“પુરુષ વ ફ્લમ્ સર્વમ્” “આ સર્વ જે કંઈ છે તે પુરુષ છે. તેવી જ વાત બૃહદારણ્યક ઉપનિષદમાં પણ છે.” “માંનો ફ્રિ અપક્ પુરુષઃ આ પુરુષ= આત્મા અસંગ છે.” તો પછી તેનું શરીર ક્યાં? તેને નથી સાથ, સંગાથ કે સંગ. અરે જ્યાં પુરુષ એક, અભિન્ન, અદ્વૈત છે, જે તેના સિવાય બીજી વસ્તુ છે જ નહીં; તો શરીરનો પ્રશ્ન જ ઊભો થતો નથી.