SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૮) · વંચિતને આધિ કયાં? માટે જ વિચારવું કે હું નિરુપાધિક, નિ:સંગ, અસંગ, અરંગ આત્મતત્ત્વ છું. આત્મા-અનાત્માને સમજાવતાં પૂર્વવિચારસૂત્રના સંદર્ભમાં કહેવાયું છે કે अहं विकारहीनस्तु; देहो नित्यं विकारवान् । इति प्रतीयते साक्षात्; कथं स्याद् देहकः पुमान् ॥ ३३॥ ...=વળી .... અહં વિાદ્દીન:=હું વિકારરહિત છું. વેદઃ નિત્યં વિધવાન્...=અને દેહ નિત્ય વિકારવાન છે. કૃતિ ક્ષાત્ પ્રતીયતે- એવું સાક્ષાત્ આપણે જોઈએ છીએ. પુમાન્ : થમ્ સ્વા= તેથી આત્મા દેહ કઈ રીતે થઈ શકે ? ! દેહમાં વૃદ્ધિ અને વિસર્જન છે. વૃદ્ધિથી વિસર્જનની સતત ચાલતી પ્રક્રિયામાં ક્ષણે ક્ષણે વિકાર છે. શુક્રજંતુથી સ્થૂળ શરીરનો વિકાસ, સતત વિકારને આભારી છે. વજનમાં પ્રથમ વૃદ્ધિ થાય છે અને અંતે શરીર વજનશૂન્યતા તરફ આગળ વધે છે, આમ શૈશવ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ અને વિસર્જન સર્વ વિકારી શૃંખલા છે. સૂક્ષ્મ શરીરમાં પણ ક્રોધ, લોભ, મોહ, કામ, કૃપા, દયા સૌ વિકારો જ છે. હું સર્વ વિકારોનો ષ્ટા છું પછી તે ઇન્દ્રિયના, મનના કે શરીરના હોય. અને દૃષ્ટા છું તેથી જ દૃશ્ય શરીર નથી પણ નિર્વિકાર સ્વરૂપ, સત્ અને નિત્યાનંદ છું. यस्मात्परमिति श्रुत्या तया पुरुषलक्षणम् । विनिर्णीतं विमूढेन कथं स्याद्देहकः पुमान् ||३४|| યસ્માત્ પરમ્ કૃતિ તૈયા મ્રુત્યા = જેનાથી પરમ્ અર્થાત્ પૂર્વ કે પછી કોઈ નથી તેવી શ્રુતિ વડે “યસ્માત્ × 7 અપરૂં અસ્તિ િિવત્ કૃતિ તૈયા શ્રુત્યા” પુરુષ તક્ષામ્ = આત્માનું લક્ષણ વિનિતિમ્ = નિશ્ચિત કરાયેલું જ છે. પુમાન વેઠ : થમ્ સ્થાત્ = તેથી આત્મદેહ કઈ રીતે હોઈ શકે ? યસ્માત્ પરમ્ ઇતિ શ્રુત્યા' આ ખૂબ જ પ્રસિદ્ધ શ્રુતિ છે. તૈત્તિરીય ઉપનિષદ્માં છે કે “યસ્માત્ પરમ્ ન અપાં અસ્તિ િિવત્" આવી શ્રુતિ દ્વારા આત્માનું લક્ષણ સિદ્ધ થયેલ છે કે આત્માની પૂર્વે કોઈ નહોતું. તેનો અર્થ એ જ કે આત્માનું કોઈ જ કારણ નથી. અને આત્મા
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy