SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) તે દયા સ્થિત અને દેહ દીયપણાથી સ્થિત છે. મને અયન (ઇ) રતિ નિત્ : “આ દેહ મારો છે એમ ઘણીવાર આપણે બોલીએ છીએ; તેથી. પુમા : સ્થમ્ C * આ આત્મા દેહ કઈ રીતે હોઈ શકે! વિચારમાર્ગે પ્રવાસ કરતાં આપણે સ્પષ્ટ નિર્ણય પર આવી ચૂક્યા છીએ કે કટા અને દશ્ય, શાતા અને શેય એકબીજાથી ભિન્ન છે. હું આત્મા અને શરીર વિનાશી, જડ, મુજથી ભિન્ન છે. | “માં કરતા સિતા' હું સર્વનો ટા સાક્ષી છું. આમ જાણવા છતાં ઘણી વાર પૂછવામાં આવે છે કે તમે કોણ છો? ઉત્તરમાં આપણે આપણા શરીરનું જ નામ બોલીએ છીએ; શરીરના સઘન તાદાત્મના કારણે શાની વ્યવહારમયષ્ટિથી વાત કરે છે. છતાં પરમાર્થમાં તે સભાન છે કે ભ્રાંતિમાં પણ તે શરીર નથી; પણ શરીર, ઈક્યિો , પાંચ કોષ, પંચપ્રાણ, ત્રણ અવસ્થાનો દ્રષ્ટા કે સાક્ષી તેથી ભિન્ન છે. જ્યારે મારી ઉપાધિ બ્રહ્મચારી પ્રેમચૈતન્ય કહેવાતી ત્યારે નવો નવો પ્રેમ ચૈતન્ય સાંદિપની સાધનાલયમાં પ્રસ્થાનત્રયીનો અભ્યાસ કરી, નર્મદાતટે શાન-સાધન આશ્રમમાં ગયો. ત્યાં એક પ્રસંગ મને સ્પર્શી ગયો. એક આશ્રમવાસી ભાઉદાદાના હુલામણા નામે જાણીતા. મારી પાસે આવ્યા. થોડી વાર પછી પ્રશ્ન પૂછવાની ઇચ્છા વ્યક્ત કરી મંજૂરી મેળવી.મને એમ હતું કે કંઈ ઉપનિષદનો ભારે શ્લોક પૂછશે તો આપણા બાર વાગી જશે...ત્યાં તો ! વિચિત્ર પશ્ન પૂછયો..“તમને કોના જેવા થવું ગમે? પૂ. સ્વામી ચિન્મયાનંદજી કે દયાનંદજી?” ક્ષણવારના પણ વિલંબ વિના પ્રેમચૈતન્ય ઉત્તર આપ્યો “મને મારા જેવા થવું ગમે.” વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. અનાયાસે અચાનક અપાયેલા ઉત્તર તરફ જ્યારે વિચાર કરું છું ત્યારે સમજાય છે કે ગહન ચિંતન આકસ્મિક રીતે પણ કેવું સત્ય રજૂ કરી શકે છે. આ જ સંદર્ભમાં ૫ સ્વામી અખંડાનંદજી એક પ્રસંગ નધિ છે, તે પણ આપને કહ્યા વગર રહી શકતો નથી: “એક વ્યક્તિને મહાત્માએ પૂછા.... ધ્વર કેસા હૈ?'
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy