SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૦) स्वात्मानं श्रृणु मूर्खत्वं श्रुत्या युक्त्या च पूरुषम् । देहातीतं सदाकारं सुदुर्दर्श भवादृशैः ॥३०॥ મ્રુત્યા યુવન્ત્યા 7 = શ્રુતિ અને યુક્તિથી મૂર્ણ ત્વ સ્વાત્માનમ્ પૂવમ્ = હે મૂર્ખ! તું આત્માને પુરુષ; વેહાતીતમ્ સવાગતમ્ શુ = દેહથી પર; સદાકાર; સાંભળ મવારી: મુકુલમ્ = તારા જેવાને આત્મદર્શન થવું મુશ્કેલ છે. અહીં કટાક્ષમાં ચાર્વાક અને તેના જેવા દેહાત્મવાદી પર પ્રહાર છે. ચાર્વાક શરીરને જ આત્મા માને છે. આજે પણ તેના વંશજો ઓછા નથી. માટે જ કહ્યું છે કે હે મૂર્ખ! શ્રુતિ-સ્મૃતિના સાંનિધ્ય વિના, ગુરુની કૃપા વિના હે દેહાત્મવાદી, તને આત્મદર્શન થવું મુશ્કેલ છે. શ્રુતિ સ્પષ્ટ કહે છે કે દેહથી ભિન્ન મુક્ત અતીત આત્મા છે. તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનન્દ વલ્લીમાં સ્પષ્ટ છે કે “તસ્માદા પ્તસ્માલનાસમયાત્ અન્યોન્તર માત્મા પ્રાણમય:' નિશ્ચય જ તે આ અન્તરસમય શરીરથી ભિન્ન; તેની અંદર રહેનાર આ આત્મા પ્રાણમય પુરુષ છે. અને તે જ ઉપનિષદમાં ચર્ચાને અંતે પાંચે કોષથી આત્મા ભિન્ન છે, ત્રણે શરીરથી મુક્ત છે તેમ જણાવ્યું અને તેનું વર્ણન કરતાં કહ્યું, “જ્યારે પણ જીવ અદૃશ્ય, શરીરરહિત, નિર્દેશ ન કરી શકાય તેવા, બીજાના આશ્રરૂપ, અભયરૂપ આત્મસ્વરૂપને સ્થિતિને પામે છે ત્યારે તે અભયપદને પામે છે.” યા ह्येवैष एतस्मिन्नदृश्येऽनात्म्येऽनिरुक्तेऽनिलयनेऽभयं प्रतिष्ठां विन्दते । अथसोऽभयं गतो મવતિા = કઠોપનિષદમાં પણ સ્પષ્ટ છે કે “સ્થિર ન રહેનારાં વિનાશશીલ શરીરોમાં જે શરીરરહિત છે, તેમ જ અવિચળ ભાવથી સ્થિત છે, તે મહાન સર્વવ્યાપી પરમાત્માને જાણીને બુદ્ધિમાન પુરુષ કોઇ પણ કારણથી ક્યારેય શોક કરતો નથી. “अशरीरं शरीरष्वनवस्थेष्ववस्थितम् । महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥ २२ ॥ આમ ભગવાન શંકરાચાર્યની વાત શ્રુતિસંમત છે, પોતે ઉપજાવી કાઢેલી
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy