SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૧) હેવાય છે. જે શાનાગ્નિમાં કર્તા, કર્મ, ભોક્તા, પાપ, પુણ્ય, કોઈ અશુદ્ધિ પ્રવેશી શકે તેમ નથી. તેવા જ્ઞાનમાં તો કટા, દય, દષ્ટિ, ધ્યાતા, ધ્યાન, બેય; ઉપાસક, ઉપાસના, ઉપાસ્ય અને શાતા, શાન, શેયની ત્રિપુટી પણ છે ભસ્મીભૂત થઈ જાય છે. નથી ત્યાં શાતા; કારણ શુદ્ધ શાનમાં જોય સંસાર બચતો નથી તો શાતા કોણ? “ તે તત્વે : સંસાર?' જે સંસાર જ નથી, તો તેનો શાતા નથી અને ભ્રાંતિરૂપી સંસારનું જ્ઞાન પણ નથી. સંસારનું જ્ઞાન, શેય સંસાર અને તેના શાતા.. ત્રણે યુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા પર અધ્યારોપ છે, જ્ઞાન જ મારું સ્વરૂપ છે. વૈતભાવ, ભેદભાવ, ! ભયભાવ, જુદાઈ, પરિચ્છિન્નતા, અનેકતા જ જીવનની ભ્રાંતિમય અશુદ્ધિ છે. અને હું તે અશુદ્રિહિત છું, દ્વિતથી મુક્ત છું. એક, અતિ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છું. | ‘અદકું મન: મમ:” હું અજર.. અમર છું.” અંધાર અને પ્રકાશની જેમ દેહ અને આત્મા પરસ્પર પૂર્ણ વિરોધી છે. તે બન્ને કદી એક ન હોઈ શકે. દેહ અસતુ જડ છે. આત્મા સતુ ને ચેતન છે. દેહને વૃદ્ધત્વ અને મૃત્યુ છે. આત્મા અજર અમર છે. દેહ અનેક અને શ્ય છે. આત્મા એક અને દયાદશ્યથી પર છે. દેહ મલિન છે, કાર્ય છે. આત્મા શુદ્ધ છે, કાર્ય કારાણથી પર છે. દેહ પરિવર્તનશીલ છે. આત્મા અપરિવર્તનશીલ છે. દેહ ચલ, ચંચળ છે. આત્મા અચલ, નિશ્ચળ છે. દેહને આદિ અંત છે. આત્મા અનાદિ અનંત છે. તેથી અસંતુ દેહ કદી આત્મા ન હોઈ શકે. તે જ કારણથી હું સ્વપ્નમાં પણ શરીર નથી. છતાં જ્યાં સુધી આપણા જ્ઞાનમાં દઢતા નથી, જ્ઞાનનિષ્ઠા નથી ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિર થવાય તેમ નથી. જે જે સ્વરૂપમાં અસ્થિર છે, ચંચળ છે, તેમને જ તિભાવ સાથે અનેક સ્થળે ‘સ્વરૂપ” શોધમાં ભટકવું પડે છે. આવા પોતાને, પોતાથી બહાર શોધતા લોકોને જોઈ સંત કબીર હસે . પાની બિચ મીન પિયાસી
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy