SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦) છે. ગુણથી મુક્ત નથી. કારણ કે માયા જ ઉપાદાન કારણ છે સર્જનનું, અને માયા ત્રિગુણાત્મિકા છે. તેથી સર્જનમાં ત્રણ ગુણ છે. કૃષ્ણ પરમાત્માએ તો સ્પષ્ટતા કરી છે કે મેં ચાતુર્વર્સ્ટની રચના કરી છે, પણ ગુણ અને કમને ધ્યાનમાં રાખીને.અર્થાત ગુણ કર્મના વિભાગ પ્રમાણે “વાતુર્વષ્ય માં સૂઈ ગુગલ વિભાગ:” જે આ વાત સાચી છે તો પછી કઈ રીતે કોઈ ગુણથી મુક્ત થઈ શકે? વાત તો સાચી છે. માટે જ વ્યક્તિગત ભેદ છે. ‘ઈન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ” છે. સ્વભાવગત ભેદ છે. માટે જ દરેકના કર્મમાં ભેદ છે. છતાં આ તો શરીરભાવમાં છે. જે પોતાને સજયલ -જન્મેલ માને તેને માટે તે સત્ય છે. જે પોતાને માયાનું કાર્ય માને તેના માટે તે છે. આવી સ્વીકૃતિ આત્મઅજ્ઞાનમાં જ શક્ય છે. હું શરીર હોઉં તો જ હું તમસ ગુણનું કાર્ય છે અને સૂક્ષ્મ શરીર સત્વગુણનું કાર્ય; કર્મેન્દ્રિય રજસ ગુણનું કાર્ય પણ આત્માથી શરીરને વિખૂટું પાડતાં જ; હું શરીર છું ભ્રાંતિ નાશ પામે છે. અને સમજાય છે કે નથી હું કોઈનું કાર્ય, નથી મારે કોઈ કાર્ય, નથી હું કોઈનું કારણ નથી મારે કોઈ કારણ. હું અજન્મા છું. જન્મેલું સર્વ અતુ છે. તેનો મને સંગ નથી. પછી તેના ગુણો મારા કેવી રીતે હોય? અરે જે માયાના ત્રણ ગુણ છે તે માયા એટલે જ ય મ. યા=ણી મા =નથી તે. માથા પોતે જ ભ્રાંતિ તો તેના ગુણ ક્યાંથી અસ્તિત્વમાં હોય! હું તો માયાથી મુક્ત છું. નથી સુખનો અનુભવ કરાવતો સત્વગુણ મારામાં નથી કર્મ માટે પ્રેરતો રજ મારામાં નથી પ્રમાદથી ઘેરતો તમ મારામાં. હું તેથી જ ગુણાતીત અથ નિર્ગુણ છું. અભેદ તત્વ છું. મ્નતમાં જે ભેદ છે...તે ગુણના લીધે જ છે, પછી તે પદાર્થના ગુણ હોય; દ્રવ્યના હોય; વ્યક્તિના હોય કે ગમે તેના હોય. જન્મેલાને ગુણ છે, ભેદ છે, ભય છે. હું અજન્મા, નિર્ગુણ, અભેદ, અભય આત્મસ્વરૂપ છું. | ‘અદકુ વિચિ:’ ‘હું કિારહિત છું.” આ તો કર્મનો જમાનો છે, કિયાનો યુગ છે. દરેકને કંઈ ને કંઈ કરવું છે. સામાન્ય જનમાં એવી જ ભ્રાંતિ ઘર કરી ગઈ છે કે કંઈ ન કરવું શક્ય જ નથી. જે કંઈ કામ ન હોય તો નવયુગનાં યુવા-યુવતીઓ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy