________________
(૧૩૭). ઘણી વાર પૂજા, જપ, ધ્યાન, ચિંતનમાં આભાસ થાય છે કે હું ઊંચે ઊઠયો, ઊડયો, પ્રકાશનો સાક્ષી બન્યો. અરે અનાહત નાદનો શ્રોતા થયો, પૂજામાં મગન થયો, આનંદિત થયો. આ તો બધાં ધ્યાનમાં વિન છે. રસાસ્વાદ જેવા “લય' જેવા, જેમાં વ્યક્તિને ઝોકું આવે નિંદર આવે અને ભાસ' થાય કે સમાધિ આવી. આવનાર, જનાર, સમાધિ, ભાસ, આભાસ કે પ્રતિભાસ હું નથી. કેમ કે કોઈ સમયે હું ક્યાંય જતો નથી. અને સર્વ સ્થળે હાજરાહજૂર છું તેથી “ભાસ જેમ ઉત્પન્ન થવાનો કે કયાંયથી આવવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. હું આભારહિત આત્મતત્ત્વ . નિર્વિવ:' હું નિર્વિકલ્પ છું.
હું નથી કલ્પના, નથી પરિકલ્પના, નથી સૈદ્ધાંતિક કલ્પના, નથી હું સંકલ્પ કે વિકલ્પ, નથી શંકા કે સંશય. તે તો બધી અંત:કરણની વૃત્તિઓ છે. “સંવવિજ્યાભિ અત:વનગવૃત્તિ: હું અંત:કરણને સાક્ષી તેથી ભિન્ન છું. જાગ્રતમાં સ્થૂળ સૃષ્ટિના પદાર્થોન ગ્રહણ કરવાનો કે ત્યાગ કરવાનો સંકલ્પ મારો નથી. જાગ્રતની હતાશા, નિરાશા, ભરાશા, નિષ્ફળતામાંથી નાસી જવાનો કે દિવાસ્વપ્નના સામ્રાજ્યમાં પ્રવેશ કરવાનો સંકલ્પ પણ મારો નથી. મન_ જ ભાગેડુ વૃત્તિ ઊભી કરી મુસીબતમાંથી નાસી જવાનો કે પ્રયત્ન કરે છે. અને જો તેમાં નિષ્ફળ જાય તો મન ઈજજતભેર નિષ્ફળતામાંથી છટકવા “હિસ્ટીરિયાની ફીટ’ ‘તાણ” ઊભી કરે છે, જેથી લોકોની હમદદ પણ મળે છે અને પરિસ્થિતિનો માનપૂર્વક નિકાલ થાય છે આવા તમામ સંકલ્પો જે મન કરે છે. નિર્ણયો જે ચિત્ત લે છે, તેનો હું સાક્ષી છું તેથી જ તો હું નિર્વિકલ્પ છું.
સ્વપ્નમાં જાગ્રતની અધૂરી ઇચ્છા કે અતુમ વાસાનાને અવનવા સ્વાંગમાં રજૂ કરી અધૂરપ પૂર્ણ કરવાનો સંકલ્પ પણ મારો નથી. તેને તો પ્રોસેસ ઑફ વિશક્લિમેન્ટ' કહેવાય છે. મનનું પ્રક્ષેપણ કહેવાય છે. પ્રોજેકશન
ફ માઈન્ડ” અરે, સ્વપ્નસૃષ્ટિમાં જે નાટકીય તત્ત્વ છે ડ્રામેટાઈઝેશન તે પણ નથી મારો પ્રયત્ન નથી વિકલ્પ કે સંકલ્પ. મનની માનસિક રમત છે. હું તો સાક્ષી છું સ્વપ્ન અને જાગ્રતનો. અને તે જ પ્રમાણે રખે કોઈ માને કે સુષુમિની સંલ્પ-વિકલ્પરહિત સ્થિતિ હું છું. હું તો સુપુતિના અજ્ઞાનનો પણ સાક્ષી, અશાનથી મુક્ત જ્ઞાનસ્વરૂપ “અવસ્થાત્રયાણી