SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૨) પવિત્ર વિદ્યાધામોમાં પણ ચોરીની નવી નવી પદ્ધતિઓ કુલે છે, કાલે છે. પૂર્વાશ્રમમાં હું એક વાર કોલેજમાં સુપરવિઝન માટે વર્ગમાં પ્રવેશ્યો અને અનુભવ્યું. જેઉં છું હું વિઝન સુપરમાં તો એટલું જોઉં છું હું કે પેપર ડૂબી ગયા ને કોપી ફક્ત તરે છે. જ્યાં સદાચારની શિક્ષા અપાય ત્યાં જ અનાચાર ચોરી! પણ જ્યાં સુધી “સ્વસ્વરૂપની સાચી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આપણે શોધીશું સાથ સત્તા, મહત્તા, અને સંપત્તિનો..પણ... “ભલા! તું કોણ? ને ક્યાંથી? કબર પર કોણ સંગાથી?” જ્યારે એવો વિચાર જાગશે ત્યારે જ સમજાશે કે શું હું કોણ! ને ક્યાંથી? “કળીમાં છું ન કોઈ ફૂલની સુવાસમાં અને છતાંય બાગના વિકાસમાં છું. મને ન શોધજો કે, હવે હું ક્યાંય નથી અને જુઓ તો તમારી આસપાસ છું. આ મારો દેહ નથી સાચી ઓળખાણ અને ખબર નથી હું બીજા ક્યા લિબાસમાં છું.” -આદિલ આમ અંતે જે સમજાય વિચારણા દ્વારા કે હું ભ્રાંતિમાં પણ શરીર તો નથી જ અને તે મારું પણ નથી પણ પરાયું છે. જે તે પરાયું જણાય તો તેને પ્રભુની થાપણ માનીને સ્વીકારો. તેમાં મમત્વ ન રાખશો. એક જન્મ માટે વાપરવા મળ્યું છે...અને તૈયાર રહેજે-તેની થાપણ તેને પાછી આપવા અંત સમયે કાળદૂતના આગમન પૂર્વે જ કહેજે.પ્રભુ લઈ લે તારી થાપણ તારી પાસે...મને ચિંતામુક્ત કર. '! “ધણીની થાપણ ધણીને સોંપી; મટી ગયું સાચવવું આતમરામ નકરા થઈને; વાયુલહરતું ફરવું” -શ્રી “સાગર' આમ દહ મારો છે; તે હું છું તેવી મૂઢમતિ છોડી, થાપણ તેને | સોંપી, પરમાર્થમાં હું, “મારું, પરાયું જલાવી દેવું અને સ્વરૂપમાં મગન થઈ, નગન તત્વમાં રહેવું જ સાર છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy