SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ अ ગ્રહણાત્મક અવસ્થા ' અન્યથા(=વિપરીત ગ્રહણ) ગ્રહણ સ્વપ્નાવસ્થામાં થાય તે. જ્યાં જે વસ્તુ જ નથી છતાં દૃશ્ય છે. જે રાત, દિવસ, સમય અનુભવાય છે તે નથી છતાં વિપરીત ગ્રહણ થાય છે. (07) મન ब યથાર્થ ગ્રહણ જાગ્રતમાં ગ્રહણ થાય તે ઇન્દ્રિયગમ્ય પદાર્થો અને માનવસર્જિત સમય અગ્રહણાત્મક અવસ્થા ↓ અર્થાત્ મનની શાંત અવસ્થા જે સુષુપ્તિ છે, “જ્યાં કંઇ ગ્રહણ નથી’ તેવું માત્ર સ્મૃતિરૂપ ગ્રહણ છે=જગત કે સંસારનું અગ્રહણ છે. આવી મનની અવસ્થા સમજ્યા બાદ વિચારવાનું કે જ્યારે મન જાગૃતિ કે સ્વપ્નમાં જે કંઈ ગ્રહણ કરે છે તે સર્વ સંકલ્પથી જ ગ્રહણ થાય છે. જાગૃતિમાં હું પાપી, પુણ્યશાળી, મિલમાલિક, તવંગર, ગરીબ, ડૉકટર, એન્જિનિયર, નેતા, અભિનેતા, રૂપાળો, રૂપો છું તેવું જે કંઈ ગ્રહણ થાય છે તે સર્વ સંક્લ્પનું જ કારણ છે. પ્રથમ મેં સંકલ્પ કર્યો કે હું શરીર, અને વિકલ્પ ઉઠ્યો કે ‘ના ના-માત્ર શરીર નથી, કર્તા-ભોક્તા પણ છું. એટલું જ નહીં, શરીરભાવે નાનો, મોટો, યુવા કે વૃદ્ધ પણ હું જ છું. આમ, અનેક વિચારોને મેં ગ્રહણ કર્યા અને જે હું નથી તે તે સર્વ હું છું એવું ઠસાવી દીધું. આ તો જાગ્રતનું નાટક! પણ બીજો અંક શરૂ થાય સ્વપ્નમાં અને ત્યાં જે સમય, જે રૂપ, રંગ, દેશ વસ્તુ કે કાળ નથી તે સર્વનું વિપરીત ગ્રહણ પણ મનના સંકલ્પને જ આભારી છે. અને અંતે છેલ્લા-ત્રીજા અંકમાં “મને કંઈ ગ્રહણ નથી’-‘હું કંઈ જાણતો નથી’ ‘આઇ ડોન્ટ નો એનીથિંગ’ ‘અમ્ વિષ્મપિ ન નાનામિ તેવી અગ્રહણાત્મક
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy