________________
મૂળનાયકની પ્રથમ પૂજા શા માટે... ?
૭૫
માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતાં જવું યોગ્ય છે. જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી એમ માનીએ તો ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરુને વંદના કરતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાઓને પ્રણામ કરી મૂલનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન યોગ્ય છે. કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીત પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની હકીકતમાં પણ દ્વારબિંબની અને સમવસરણબિંબનીપૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે -
(ત્યાર પછી)સુધર્મા સભામાં જઇ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાઓને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મોરપીંછીથી પ્રમાર્જન કરે. ત્યારપછી સુગંધી જળથી એકવીશ વાર પખાળીને ગોશીર્ષચંદનનો લેપ કરી ફૂલથી પૂજા કરે. એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારપ્રતિમાની પૂજા કરે એમ જીવાભિગમસૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેલું છે માટે દ્વારપ્રતિમાનીપૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી. કહેલું છે કે -
પૂજા કરતાં વિશેષ પૂજા તો મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળનાયક પર સર્વ લોકની દૃષ્ટિ અને મનની એકાગ્રતા થાય છે. મૂળનાયકની પ્રથમ પૂજા શા માટે....?
પ્રશ્ન - જો મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તો, બધા તીર્થંકર તો સરખા જ છે, ત્યારે પ્રતિમામાં સ્વામી-સેવકભાવ કેમ હોવો જોઈએ ? જેમકે, એક બિંબની આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની થોડી પૂજા કરવી. જો એમ જ હોય તો આ મોટી આશાતના છે; એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહીં.
ઉત્તર ઃ સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાર્ય વિગેરે પરિવાર સરખા જ છે. બુદ્ધિવંત પ્રાણીને સ્વામી-સેવકભાવની બુદ્ધિ થતી જ નથી. નાયકભાવે તો સર્વ તીર્થંકરો સમાન છતાં પણ સ્થાપના સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થંકરને મૂળનાયક ગણવા, ત્યારે એ જ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થંકરોની અવજ્ઞા કરવાની બુદ્ધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થંકરની વંદના, પૂજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરુષોની આશાતના કાંઇ જ્ઞાનીએ કહી નથી.
જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિથી કરવી ઉચિત સમજાતી નથી અને સોના-રૂપાદિ ધાતુની કે રત્ન-પાષણની પ્રતિમાની પૂજા જળ, ચંદન, પુષ્પાદિથી કરવી સમુચિત સમજાય છે, તેવા જ પ્રકારે મૂળનાયકની પ્રતિમાની પૂજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે.
જેમ ધર્મવંત પ્રાણીની પૂજા કરતાં બીજા લોકોનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનું જે દિવસે કલ્યાણક હોય તે દિવસે તે ભગવંતની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવંતની પ્રતિમાઓનું અપમાન થતું નથી; કેમકે બીજાની આશાતના કરવાનો પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ