________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
પરિવ્રાજકોએ ત્યાં જ અણસણ કર્યાં. એ પ્રમાણે અદત્ત કે સચિત્ત કોઈએ વાપર્યું નહીં. છેવટે ત્યાં જ તે બધા કાળ કરી બ્રહ્મનામના પાંચમા દેવલોકે ઇન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તનો ત્યાગ કરે છે તે મહાત્મા મહાસુખને પામે છે.
ચૌદ નિયમ ધારવાની વિગત
પર
જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિયમ લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા. તેની રીતિ નીચે મુજબ છે.
૧. સચિત્ત - મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ ન બની શકે તો સામાન્યથી એક-બે-ત્રણ પ્રકારે સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તનો દરરોજ ત્યાગ કરે. કેમકે શાસ્ત્રમાં લખેલું જ છે કે “પ્રમાણવંત, નિર્જીવ, પાપ રહિત આહાર કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે.’
૨. દ્રવ્ય - સચિત્ત (માંસ) ખાવાની ઇચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નરકમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઇચ્છનીય નથી. સચિત્ત વિગય (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમ કે
ખીચડી, રોટલી, રોટલો, નીવિયાતાનો લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કરંબો, પુરી, ક્ષીર, દૂધપાક એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એક દ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય તો પણ તે જુદા જુદા દ્રવ્ય ગણાય છે. જેમ કે
રોટલો, રોટલી, પોળી, માંડા, ખાખરો, ઘુઘરી, ઢોકળાં, થુલી, બાંટ, કણક, આટો, એક જાતિના ધાન્યનાં હોય છતાં પણ જુદા જુદા સ્વાદ અને નામ હોવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે.
વળી ફલા, ફલીકા, એવા નામ એક છે પણ સ્વાદની ભિન્નતાથી કે પરિણામાંતર થવાથી જુદાં જુદાં દ્રવ્ય ગણાય છે. એમ દ્રવ્ય ગણવાની રીતિ નિયમ લેનારના અભિપ્રાય તથા સંપ્રદાયના પ્રસંગથી ભિન્ન ભિન્ન હોય છે, તે ગુરુ-પરંપરાથી જાણી લેવી. ધાતુની સળી તથા હાથની આંગલી દ્રવ્યમાં ગણાતાં નથી. (એ દ્રવ્યમાંથી એક બે ચાર જે વાપરવાં હોય તેની છૂટ રાખી બીજા બધાનો ત્યાગ કરવો.)
૩. વિગય ( વિકૃતિ ) - વિગઈઓ ખાવા યોગ્ય છ પ્રકારની છે. ૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ, ૬ કઢા વિગય. (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય, તે છૂટી રાખી બીજીનો દરરોજ ત્યાગ કરવો.)
૪. ઉવાગ્રહ (ઉપાનહ) પગમાં પહેરવાના જોડા તથા કપડાનાં મોજાની સંખ્યા રાખવી કાષ્ઠની પાવડી તો ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ યોગ્ય નથી. ૫. તંબોલ (તાંબૂલ) - પાન, સોપારી, ખેરસાર કે કાથો વિગેરે સ્વાદિય વસ્તુઓનો નિયમ
કરવો.