________________
૩૩૮
પરિશિષ્ટ .
पणव-हरिया-रिहा ईहमंतह बीआणिसप्पहावाणि ।
सव्वेसिं तेसिं मूलो, इक्को नवकारवरमतो ॥१२॥ પ્રણવ એટલે ઓકાર, માયા એટલે હકાર અને અઈ વગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૐ હ્રીં અહં વગેરે મંત્રબીજોના મૂળમાં પણ શ્રી નવકારમંત્ર રહેલો છે.
ताव न जायइ चित्तेण, चिंतियं पत्थिअं च वायाए ।
काएण समाढतं, जाव न सरिओ नमुक्कारो ॥१३॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરવામાં આવ્યો નથી.
____ भोअणसमए सयणे, विबोहणे पवेसणे भओ वसणे ।
__पंचनमुक्कारं खलु, समरिज्जा सव्वकालम्मि ॥१४॥ ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર પંચનમસ્કારને સ્મરવો જોઈએ.
ज किंचि परमतत्तं, परमपयकारणं च जं किंचि ।
तत्थ वि सो नवकारो, झाइज्जइ परमजोगिहिं ॥१५॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ તે નવકાર જ પરમયોગિઓ વડે વિચારાય છે.
एनमेव महामंत्र, समाराध्येह योगिनः ।
त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥१६॥ યોગી પુરુષો આ જ નવકારમંત્રનું સમ્યગુ રીતિએ આરાધના કરીને પરમલક્ષ્મીને પામી ત્રણે લોક વડે પૂજાય છે.
कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रंसमाराध्य, तिर्यंचोपि दिवं गताः ॥१७॥ હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે.
अहो पंचनमस्कारः, कोप्युदारो जगत्सु यः ।
संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तऽनन्तास्तु ता:सताम् ॥१८॥ અહો ! આ જગતમાં પંચ નમસ્કારનું કોઈ વિશિષ્ટ ઉદારપણું છે કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે છતાં પુરુષોને તે અનંત સંપદાને આપે છે.
त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरु परः । प्राणा:स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥१९॥