________________
ગ્રંથકારની પ્રશસ્તિ.
૩૨૫
अत्र गुणसत्र विज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः । शोधनलिखनादिविधौ व्यधायि सान्निध्यमुद्युक्तैः ॥१३॥
અહીંયાં ગુણરૂપી દાનશાળાના જાણકારોમાં મુકુટ સમાન ઉદ્યમવંતા શ્રી જિનહંસગણિ પ્રમુખોએ લખવા, શોધન કરવા વિગેરે કાર્યોમાં સાન્નિધ્ય સહાય કરી છે.
विधिवैविध्याच्छ्रुतगतनैयत्यादर्शनाच्च यत्किञ्चित् ।
अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ १४॥
વિધિનું વિવિધપણું દેખવાથી અને સિદ્ધાંતોમાં રહેલા નિયમો ન દેખવાથી આ શાસ્ત્રમાં જો કંઈ ઉત્સૂત્ર લખાયું હોય તો તે મારાં પાપ મિથ્યા થાઓ.
विधिकौमुदीनाम्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः ।
श्लोकाः सहस्त्रषट्कं सप्तशती चैकषष्ट्यधिकाः ॥ १५ ॥
એ પ્રકારે આ વિધિકૌમુદી નામની વૃત્તિમાં રહેલા પ્રત્યેક અક્ષરના ગણવાથી છ હજાર સાતસો અને એકસઠ શ્લોક છે.
श्राद्धहितार्थं विहिता श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता ।
वृत्तिरियं चिरसमयं जयताज्जयदायिनी कृतिनाम् ॥१६॥
શ્રાવકોના હિતને માટે શ્રાદ્ધવિધિ પ્રકરણની “શ્રાદ્ધવિધિ કૌમુદી” નામની આ ટીકા રચી છે તે ઘણા કાળ સુધી પંડિતોને જયને આપનારી થઈ જયવંતી વર્તો.
શ્રી રત્નશેખરસૂરિવિરચિત ‘શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ’ સટીકનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.