SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ જો પોસહ કરવાની ઇચ્છા ન હોય તો એક ખમાસમણ દઈ રૂછીરે સંવિદ મવિન મુપત્તિ પરિષિ એમ કહે. ગુરુ કહે પત્નેિહંદ પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ રૂછાવરેસંકિસદ ભાવનું પસદં પારું ? ગુરુ કહે પુણો વિ વાયવ્યું પછી કહેવું કે, પોસદ પા િગુરુ કહે માયારો ન મુત્તો પછી ઉભા રહી નવકાર ગણી ઢીંચણે તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી :- - सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो। जेसिं पोसहपडिमा, अखंडिआ जीविअंते वि ॥१॥ धन्ना सलाहणिज्जा सुलसा आणंदकामदेवा अ। जेसिं पसंसइ भयवं, दढव्वयत्तं महावीरो ॥२॥ પછી પોસહવિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન-વચન-કાયાએ થઈ હોય તો “તસ્સ મિચ્છામિ દુક્કડ” એમ કહેવું. સામાયિકનો વિધિ પણ આ રીતે જ જાણવો, તેમાં એટલો જ વિશેષ કે સાગરચંદોને બદલે આ ગાથાઓ કહેવી : सामाइयवयजुत्तो, जाव मणे होइ नियमसंजुत्तो। छिन्नइ असुह कम्मं, सामाईअ जत्तिआ वारा ॥१॥ छउमत्थो मूढमणो, कित्तिअमित्तं च संभइ जीवो। जं च न सुमरामि अहं, मिच्छामि दुक्कडं तस्स ॥२॥ . सामाइअ पोसइ-संठिअस्स जीवस्स जाइ जो कालो। सो सफला बोधव्वो, सेसो संसारफलहेऊ ॥३॥ પછી સામાયિક વિધિએ લીધું ઇત્યાદિ કહે. દિવસે પોસહ પણ આ રીતે જ જાણવો વિશેષ એટલો જ કે પૌષધ દંડકમાં “નાવ વિવાં પંજુવાસાયિ” એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસપોસો પારી શકાય છે. રાત્રિપોસ પણ આ રીતે જ જાણવો. તેમાં એટલો જ ફેર છે કે પોસહ દંડકમાં “નાવ વિસરે રત્તિ પન્નુવામિ' એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે ત્યાં સુધી રાત્રિપોસો લેવાય છે પોસહના પારણાને દિવસે સાધુનો જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ દ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધવિધિ કહ્યો છે. આ રીતે પૌષધ આદિ કરીને પર્વદિનની આરાધના કરવી. એની ઉપર આ પ્રમાણે દષ્ટાંત છે. પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત. ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ. ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેના પુત્ર સાથે રહેતો હતો. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતો. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતો હતો અને ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિઓનાં પરિપૂર્ણ પૌષધ કરતો હતો.” આ રીતે ભગવતી સૂત્રમાં તંગિકાનગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy