________________
૨૧૯
વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા.
૧. એકાંતમાં સ્ત્રીસંભોગ કરવો, ૨. ધિઠાઈ રાખવી, ૩. અવસર આવે ઘર બાંધવું, ૪. પ્રમાદ કરવો અને પ. કોઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણો કાગડા પાસેથી લેવી.
૧. મરજી માફક ભોજન, ૨. અવસરે અલ્પ માત્રમાં સંતોષ રાખવો, ૩. સુખે નિદ્રા લેવી, ૪. સહજમાં જાગૃત થવું, પ. સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬. શૂરવીર રહેવું, એ છ શિખામણો કૂતરા પાસેથી લેવી.
૧. ઉપાડેલો ભાર વહેવો, ૨. ટાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩. હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શિખામણો ગધેડા પાસેથી લેવી.
આ વિગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણનો સુશ્રાવકે સમ્યક્ પ્રકારે વિચાર કરવો. કહ્યું છે કે જે માણસ હિત કર્યું ? અહિત ક્યું ? ઉચિત વાત કઇ ? અનુચિત કઇ ? વસ્તુ કઈ ? અવસ્તુ કઇ ? એ પોતે જાણી શકતો નથી, તે શિંગડા વિનાનો પશુ સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શોભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઇ જાણતો નથી, તે બેશરમ-શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે ? જે માણસ પોતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભોગવવું, પહેરવું, બોલવું, એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણવો. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી.
વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે દષ્ટાંત છે :વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા.
વિનયપુરનગરમાં ધનવાન એવો વસુભદ્રનો ધનમિત્ર નામનો પુત્ર હતો. નાનપણમાં તેના માતા-પિતા મરણ પામવાથી તે ઘણો દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણો દરિદ્રી થયો. તરૂણ અવસ્થામાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઇને ધન મેળવવા માટે પરદેશ ગયો. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર, રાજાદિની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તો પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય .ઉદ્વિગ્ન થઇ ગજપુરનગરમાં કેવળી ભગવાનને પોતાનો પૂર્વભવ પૂછ્યો.
કેવળી ભગવાને કહ્યું, “વિજયપુરનગરમાં ઘણો કૃપણ એવો ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો તે ઘણો મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કોઈને લાભ થતો હોય તો તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામનો શ્રાવક તેને મુનિરાજ પાસે લઇ ગયો. કાંઇક ભાવથી તથા કાંઇક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળ્યો, તે પુણ્યથી હે ધનમિત્ર ! તું ધનવાન વણિકનો પુત્ર થયો અને અમને મળ્યો. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણો દરિદ્રી અને દુઃખી થયો. જે જે રીતે કર્મ કરાય છે તે જ રીતે તેના કરતાં હજારગણું ભોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું.