________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ત્રીજી ભાવપૂજામાં ચૈત્યવંદન કરવાના ઉચિત પ્રદેશે (અવગ્રહ રાખી) બેસીને યથાશક્તિ સ્તુતિ, સ્તોત્ર, સ્તવન દ્વારા ચૈત્યવંદન કરે.
નિશીથસૂત્રમાં કહેલ છે કે, :-“ગંધાર શ્રાવક સ્તવન-સ્તુતિઓને ભણતો તે ગિરિ-ગુફામાં રાત-દિવસ રહ્યો.”
८०
વસુદેવહિંડીમાં પણ કહેલું છે કે :-‘સમ્યક્ત્વને ધારણ કરનાર વસુદેવ પ્રાતઃકાળે શ્રાવકના સામાયિકાદિ પચ્ચક્ખાણ લઇને કર્યાં છે કાઉસ્સગ્ગ સહિત થઈ વંદન (દેવવંદન) જેણે એવો’ એમ અનેક ઠેકાણે શ્રાવકાદિકે કાયોત્સર્ગ સ્તુતિ કરીને ચૈત્યવંદન કર્યાં છે એમ કહ્યું છે. ચૈત્યવંદનના ભેદ.
ભાષ્યમાં કહેલું છે કે :
જઘન્ય ચૈત્યવંદન બે હાથ જોડી શિરનમન આદિ સ્વરૂપ નમસ્કાર માત્રથી નમો નિબાળ એમ કહી પ્રભુને નમસ્કાર કરવો તે; અથવા નમો અરિહંતામાં એમ આખો નવકાર કહીને અથવા એક શ્લોક, સ્તવન વિગેરે કહેવાથી, નાની જાતિના શ્લોક કહેવાથી ઘણા નમસ્કારો પણ થાય; અથવા પ્રણિપાત એવું નામ મુન્થુળ નું હોવાથી એકવાર મુન્થુળ જેમાં આવે એવું ચૈત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે છે તેમ) એ જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે.
મધ્યમ ચૈત્યવંદન પ્રથમથી અરિહંત ચેયામાં થી માંડી કાઉસ્સગ્ગ કરી એક થોઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચૈત્યવંદન કરીને એક થોઇ છેલ્લી કહેવી તે મધ્યમ ચૈત્યવંદન કહેવાય છે.
ઉત્કૃષ્ટ ચૈત્યવંદન પંચદંડક તે, ૧ શક્રસ્તવ (નમુત્યુર્ણ), ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઇયાણું), ૩ નામસ્તવ (લોગસ્સ), ૪ શ્રુતસ્તવ (પુક્ષ્મરવરદીવž), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં), એ પાંચ દંડક જેમાં આવે એવું જય વીયરાય સહિત જે પ્રણિધાન (સિદ્ધાંતોમાં બતાવેલી રીત પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કહેવાય છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્તવથી જઘન્ય ચૈત્યવંદના કહેવાય છે. અને બે-ત્રણ વાર શક્રસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમ ચૈત્યવંદના કહેવાય; તેમજ ચાર વાર કે પાંચ વાર શક્રસ્તવ આવે ત્યારે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહેવાય છે.
ઇરિયાવહી પહેલી પડિક્કમીને ચૈત્યવંદન કરે અને છેડે જય વીયરાય તે પ્રણિધાનસૂત્ર તથા નમુન્થુણં કહી બમણું ચૈત્યવંદન કરે, ફરી ચૈત્યવંદન કહી નમુન્થુણં કહે. વળી અરિહંત ચેઇયાણું કહી ચાર થુઇયે દેવ વાંદે, એટલે ફરી નમ્રુત્યુર્ણ કહે. તેમાં ત્રણ વાર નમ્રુત્યુણ આવે એ મધ્યમ ચૈત્યવંદના કહેવાય છે.
એક વાર દેવ વાંદે તેમાં શક્રસ્તવ બે વાર આવે, એક પહેલું અને એક છેલ્લું, એમ સર્વ મળી ચાર શક્રસ્તવ થયાં. એમ બે વાર કરવાથી તો આઠ શક્રસ્તવ આવે છે, પણ ચાર જ ગણાય છે. એ પ્રમાણે ચૈત્યવંદન કરવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કરી કહેવાય છે.
શક્રસ્તવું કહેવું, વળી ઇરિયાવહી પડિક્કમીને એક શક્રસ્તવ, એ બે વાર ચૈત્યવંદના કરે ત્યાં ત્રણ શક્રસ્તવ થાય, ફરી ચૈત્યવંદન કહી, નમ્રુત્યણં કહી, અરિહંત ચેઇઆણં કહી, ચાર