SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કરવાને માટે ઈંતેજાર રહેવાનું છે તો અમો ઈચ્છીએ છીએ તે “ વ્યવહારૂ ભલું” શીખડાવનાર આ શાસ્ત્રો હોઈને જ અમે તેના પ્રત્યે પ્રેરાયા છીએ. આ શાસ્ત્રોએ જે દયાના સિદ્ધાંન આપણામાં જન્માવ્યો છે તે દયાને સિદ્ધાંત બરાબર સમજાવનાર શાસ્ત્રો જગત માં હૈયાત હશે તે જ “વ્યવહારૂ ભલું”( practical good ) કરવાની બુદ્ધિ આવશે; જડ-વાદાત્મક (Materalistic ) કે બુદ્ધિવાદત્માક ( Rationalistic) શાએથી “વ્યવહારૂ ભલું કરવાની બુદ્ધિ આ શાસ્ત્રો જેટલી નહીં ઉત્પન્ન થાય અને અમે અનુભવ પૂર્વક માનીએ છીએ. '“મુંબઈ સમાચાર” પત્રે અમારી આ યોજનાના સંબંધમાં પોતાના તા. ૧૨ મી સપ્ટેમ્બર ૧૯૧૩ના અંકમાં પિતાના “ જૈન” લેખક દ્વારા એક લંબાણ લેખ લખાવ્યો છે. આ સમય આ કાર્યને અંગે સૌથી વિશેષ અનુકળ છે એવી અમારી માનીનતાને અંગે આ પ્રખ્યાત પત્ર નીચે પ્રમાણે વિચારો દર્શાવી, અમારા વિચારોને અનુમોદન આપે છે – - “ જનાના જકાએજ પિતાના વિજ્ઞપ્તિપત્રમાં કબુલ રાખ્યું છે તેમ આ સમય આવી હીલચાલ ઉપાડી લેવાને માટે સૌથી અનુકળ છે અને તેને હવે ઢીલમાં નાંખવાથી નુકશાન થવાનો જે સંભવ તે બતાવે છે તે માત્ર આ સૂત્રના ગ્રાહકોને સમજાવવા માટેનો નથી; પણ તેમની ખરી સ્થિતિનું અવલોકન કરનારી છે. તેઓ તદન વાજબી રીતે જણાવે છે તેમ આગલા જમાનાના જે રૂઢીબદ્ધ સંસ્કારે આ જાતના કાર્યને અને બીજા અનેક સુધારક કાર્યને નડતરરૂપ છે તે તદન અદશ્ય થવાને માટે હજુ બીજાં પચીશ કે વધુ વરસ જોઈશે; અને તે તદન અદશ્ય થતાં સુધી દરેક સુધારકે ખીલવણીના કાર્યને અભરાઈએ ચડાવી રાખવું પાલવે તેમ નથી. બીજાં પચીશ વર્ષ સુધી રાહ જોવાનું પસંદ કરવામાં આવતાં એક નવા ભયની જે ગણત્રી તેમણે કરી છે તે કહ૫ના કરતાં દીર્ધદષ્ટિને વધારે આભારી છે. તેઓ જણાવે છે કે “ધર્મચુસ્ત વર્ગની એક એવી ફર્યાદ ચાલુ થઈ કે પશ્ચિમ ભણીની કેળવણીથી તરૂણ જમાનો નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિ માર્ગે વિશેષ વચ્ચે જાય છે. જે ગતિએ તે વધ્યો જતો માનવામાં આવે છે તે ગતિની ગણત્રીધ્યાનમાં લેતાં પચીસ વર્ષ પછી હમણાં કરતાં બહુ૫ણે પ્રવૃત્તિ માર્ગે શું તે ચઢી ન જાય ! અને ચઢી જાય તે રૂઢીબદ્ધ સંસ્કારો સર્વથા જાય ત્યાં આ નવો ભય આ મહાન કામની સામે આવીને ઉભો રહેવા શું સંભવ નથી ? આ ગણત્રી આ કાર્યની નજરે જોતાં તદન વાજબી છે.” આટલે ભાગ છપાયા બાદ ભવિષ્યની સ્થિતિનું જે ચિત્ર અમે દોર્યું છે, તે ચિત્ર કલ્પનારૂપ નથી પણ વાસ્તવીક છે તેવું સાબીત કરનારો એક વિશેષ પુરાવો મળે છે. યુનીવર્સિટીની અંદર પંડિતની પરીક્ષા લઈ તેઓને ડીગ્રીઓ આપવાનું કામ યુનીવર્સિટીઓએ માથે લેવું એવી એક દરખાસ્ત યુનીવર્સિટીની અંદર મુકાઈ છે. તેની વિરૂદ્ધમાં અત્યારના સંસ્કાર પામેલા કેટલાક વિદ્વાનો થયા છે. એવા વિરૂદ્ધ થયા છે કે આજથી સો વર્ષ ઉપર કેને કલ્પના પણ ન હોય કે હીંદુ સંતાનોને પડતેની સંસ્થા એ નિરૂપયોગીજ નહીં પણ હાનીરૂપ લાગે. પુનાની ફરગ્યુસન કોલેજના પ્રીન્સીપાલ અને સીનીયર રેંગલર એન. મી. પ્રાંજપે આ દરખાસ્તની વિરૂદ્ધ થતાં નિચે પ્રમાણે બાલ્યા હતા --
SR No.032016
Book TitleJinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Original Sutra AuthorN/A
AuthorJinagam Prakashak Sabha
PublisherJinagam Prakashak Sabha
Publication Year1913
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy