SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) સૂરિની પરંપરાનો સ્પષ્ટ ભંગ થાય છે, માટે બીજી એથે જ સાંવત્સરિક પર્વ કરવું જોઈએ, પણ પંચાંગની ચળે નહિ. ૧૨ પ્રશ્ન–શ્રાધ્ધવિધિકારના કથન પ્રમાણે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણભૂત ગણાય, તે પછી પર્વ . તિથિના ક્ષયમાં દયિક તિથિ કેવી રીતે લેવી? ઉત્તર--પંચાંગમાં પર્વતિથિનો ક્ષય હોય પણ આરાધનામાં પર્વતિથિનો ક્ષય મનાતું નથી તેમજ શ્રાધ્ધવિધિમાં અનોદયિક તિથિ માનવાને પણ નિષેધ કરેલ છે. જુઓ શ્રાદ્ધવિધિ, પત્રાંક ૧૫ર– उदयंमि जा तिही सा पमाणमिअरइ कीरमाणीए । શાળામાવરથામિકવિરા પાવે પાપારાस्मल्लादावपि-आदित्योदयवेलाय, या स्तोकापि तिथिर्भवेत् सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ॥१॥ - અર્થ–સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી જોઈએ. ઉદય વિનાની બીજી તિથિ પ્રમાણ કરે તે આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધનાનું પાપ લાગે. આ કારણથી જ પૂર્વાચાર્યો ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષને અનુસારે ક્ષય પામેલ પર્વતિથિને પૂર્વની તિથિમાં દયિક પર્વતિથિ સ્થાપીને આરાધના કરે છે તેથી આજ્ઞાભંગ કે મિથ્યાત્વને દેષ લાગતો નથી એટલા માટે જ પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય મનાય છે તેમજ પૂર્ણિમાની વૃદ્ધિમાં ચોદશપુનમની જોડે આરાધના કરવા માટે પંચાંગની પ્રથમ પૂણિમાએ ઔદયિક ચતુર્દશી સ્થાપીને તેરશની વૃદ્ધિ માનવામાં આવે છે.
SR No.032010
Book TitleParv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherBhogilal Sakarchand Sheth
Publication Year1945
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy