________________
સર્ચ–લાઈટ કેઇપણ જ્ઞાનાદિ કાર્ય શા માટે ન કરી શકાય?” દેવદ્રવ્યથી જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિની વૃદ્ધિ તથા જનશાસનની પ્રભાવને શાસ્ત્રકારેને કેવી રીતે અભિષ્ટ તથા અભિપ્રેત છે તે આ પ્રસંગે આપણે સમજવું જોઈએ. ઉક્ત શંકાનું સમાધાન અમે અમારી પિતાની સ્વતંત્ર લેખિનીથી નહીં કરતાં મૂળ આચાર્યપ્રવરના શબ્દ દ્વારા જ કરીશું તે તે વધારે વજનદાર ગણાશે. ઉપર્યુક્ત ગાથાની ટીકા અમે નીચે ઉધૂત કરીએ છીએ. તે પરથી અમારી સામે જે પ્રશ્ન લાવવામાં આવે છે તેનું સમાધાન વાચક–સમાજ સ્વયમેવ કરી શકશે. દર્શનશુદ્ધિની ટીકામાં શ્રીમાન દેવભદ્રાચાર્ય બહુજ સુંદર રીતે નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે– . "जीनप्रवचनमाईत शासनं, तस्य वृद्धिकरं तत्संतानाsव्यवच्छित्तिहेतुतया तथा प्रभावकं-दीपकं ज्ञानदर्शनगुणानामुलक्षणत्वाचारित्रगुणानां च, न खलु जीनप्रवचनवृदिर्जीनवेश्मचिरहेण भवति न च तद् द्रव्यव्यतिरेकेण प्रतिदिनं प्रतिजागरयितुं, जीर्ण विशीणं वा पुनरुद्धर्नु पार्यते तथा तेन पूजामहोत्सवादिषु श्रावके क्रियमाणेषु ज्ञानदर्शनचारित्रगुणाश्च दीप्येते, यस्मादज्ञानीनोप्यहो तत्त्वानुगामिनी बुद्धिरेतेषामित्यु'पद्व्हयंतः क्रमेण ज्ञानदर्शनचारित्रगुणलाभभाजो भवंतीति ॥"
જીનેશ્વરના શાસનની વૃદ્ધિ કરનારું, અર્થત મહાવીરની શાસન-પરંપરાને સાચવી રાખનારૂં તેમજ જ્ઞાન-દર્શનાદિ ગુણેનું પ્રભાવક અને ઉપલક્ષણથી ચારિત્રગુણનું પ્રભાવક એવું દેવદ્રવ્ય છે. કારણ કે જનમદિર સિવાય જીનશાસનની પ્રભાવના થઈ શ કતી નથી, અને દેવદ્રવ્ય વિના જીનમંદિર નિરંતર પ્રકાશવાન ? હેતું નથી. આવા કારણેથી તે જીનદ્રવ્ય વડે શ્રાવકે પૂજામહેસૂવાદિ કરે ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રગુણની ઉદીપના થાય, આ ઉદ્દીપનાને જોઈ અજ્ઞાનીઓની બુદ્ધિ પણ