________________
૩૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : તો શું છે ?
દાદાશ્રી : અવગાહના જુદી વસ્તુ. અવગાહક હોય નહીં. કોઈ દહાડો આત્માને અવગાહના ન હોય. અવગાહના શરીર ઉપર થાય. દેહધારીને હોય. જેનો ફોટો પડે, છબી પડે. આની છબી ન પડે. એ પ્રકાશ, એને આકાશની જરૂર નહીં.
પ્રશ્નકર્તા: તો ટુ થર્ડ એ શું બોલ્યા હતા ? આ દેહના પ્રમાણથી ટુ થર્ડ ત્યાં હોય એ શું ટુ થર્ડ હોય ?
દાદાશ્રી : ટુ થર્ડ પ્રકાશ, એ તો એનો પોતાનો જે ભાગ એ સમજાવવા જાય છે, અવગાહના..
પ્રશ્નકર્તા પણ એ સ્પેસ તો..
દાદાશ્રી : એ પણ અવગાહના નહીં, પ્લેસ નહીં. ત્યાં તો કોઈ તત્ત્વ જ નથી.
પ્રશ્નકર્તા: તો ટુ થર્ડ જે રોકે છે એ શું છે?
દાદાશ્રી : વન થર્ડ આ સંકોચાઈ જાય એટલે આ હવા ભાગ નીકળી જાય. આકાશ-બાકાશનો બધો ભાગ નીકળી જાય એટલે આ અનઅવગાહક થાય. આમાંથી જે આકાશ ભાગ છે એ નીકળી જવાનો બધો. પોલું નથી આમાં, આપણી દાબીએ તેય, ના સમજાયું ?
પ્રશ્નકર્તા : ના સમજાયું.
દાદાશ્રી : ના સમજાય. મોટા-મોટા આચાર્યોને ના સમજાય આ વાત તો અને આવી ઝીણી વાતો શી રીતે સમજાય ? તમારું કામ નહીં આમાં. આચાર્યનું કામ નહીં તો તમારું શું કામ આમાં ? પણ જ્યારે એને કહુંને, અનઅવગાહક શક્તિ. ત્યારે કહે, હા. શક્તિ તો અનૂઅવગાહક
પોતે આ દેહ ન હોય તો પોતે કોઈ રોકાણ ના કરે. જરાય રોકે નહીં. એ તો એટલો બધો સૂક્ષ્મ છે કે અગ્નિની વચ્ચે રહીને ચાલ્યો જાય