________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ત્યાં કશુંય નથી. એ સિદ્ધ ભગવંતો આ અહીંના બધા શેયોને એ પોતે જોઈ શકે, પણ શેયો એમની જગ્યામાં ત્યાં ના હોય. એકુંય પરમાણુ ના હોય.
૩૨૪
પ્રશ્નકર્તા : જ્ઞાનના પરમાણુ તો હોયને સિદ્ધક્ષેત્રમાં ?
દાદાશ્રી : ના, પોતે જ જ્ઞાન, પોતે જ આત્મા, સર્વ સિદ્ધ ભગવંતો
પોતે જ.
સિદ્ધક્ષેત્રે એકલું આકાશ દ્રવ્ય, પણ એ તડે તહીં
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં કોઈ દ્રવ્ય નથી ?
દાદાશ્રી : નથી.
પ્રશ્નકર્તા : આત્મદ્રવ્ય તો ખરુંને ?
દાદાશ્રી : ના, એય નહીં. એ દ્રવ્ય તરીકે નહીં, એ તો સિદ્ધ તરીકે. દ્રવ્ય ક્યારે કહેવાય કે બીજા દ્રવ્યની જોડે હોય ત્યાં સુધી દ્રવ્ય ગણાય. સિદ્ધ થઈ ગયો ! કેટલી મોટી શોધખોળ છે !
કોઈ.
પ્રશ્નકર્તા : દાદા, સિદ્ધક્ષેત્રમાં આકાશ ન હોય ?
દાદાશ્રી : આકાશ તો હોય, આકાશ વગર તો ભૂમિકા જ ન હોય
પ્રશ્નકર્તા : એ દ્રવ્ય તો ખરુંને ?
દાદાશ્રી : પણ એ દ્રવ્ય એને નડે નહીં. પુદ્ગલ હોય તો જ નડે. બીજું કોઈ દ્રવ્ય નડે નહીં. પુદ્ગલ વિકારી સ્વભાવનું છે. વિકા૨ીભાવ એટલે શું ? એ વિશેષભાવને ધારણ કરે.
એકલું આકાશ, માટે ત પરિવર્તત સિદ્ધક્ષેત્રે-અલોકે
પ્રશ્નકર્તા : આપે કીધુંને કે બધું પરિવર્તનશીલ છે, તો આ સિદ્ધક્ષેત્ર પરિવર્તનશીલ છે ?
દાદાશ્રી : ના, એ નહીં. આ જે લોક છે એ પરિવર્તનશીલ છે અને