________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : આકાશ એ તો આત્મદ્રવ્યની સાથે રહેલું જ છે ને ? એને જુદું પાડી નહીં શકાયને ?
૨૩૬
દાદાશ્રી : એય જુદું પડી જાય.
પ્રશ્નકર્તા : આકાશે પણ જુદું પડી જાય ?
દાદાશ્રી : આકાશથી પણ જુદો પડી જાય, એ અવગાહક છે. અવગાહના એને જરૂર નથી. છે આકાશમાં છતાં પોતે આકાશ રોકતો નથી, એવી રીતે રહ્યો છે સિદ્ધક્ષેત્રમાં !
પ્રશ્નકર્તા : આત્મા પોતે આકાશ જગ્યા રોકતો નથી, એ કેવી રીતે બને ?
દાદાશ્રી : આકાશ જોડે રહે એટલે પછી એ બેનું મિક્ષ્ચર થયું. આત્માને તો આકાશનીય જરૂર નથી. જેને કોઈનું અવલંબન ના હોય એ આત્મા ! ભગવાન કહેવાય એ તો !
પ્રશ્નકર્તા : સમજાયું, ત્યાં બધું છૂટું પડી જાય અને દેવલોકમાં બધા છએ છ તત્ત્વો હોય.
દાદાશ્રી : બધે. છ તત્ત્વના મિક્ષ્ચર વગર કોઈ વસ્તુ ના હોય, આ દુનિયામાં.
જ્ઞાનનું સ્વરૂપ આકાશ જેવું
પ્રશ્નકર્તા : જ્ઞાન છે તે આકાશ જેવું સર્વકાળમાં સર્વથા અસલ સ્વરૂપે દેખાય છે, એમ તુલના કરી શકાય ખરું ?
દાદાશ્રી : હા, આત્મા એ જ્ઞાન જ છે ને બીજું કશું નથી. અને તે આ જ્ઞાન કેવું છે ? આકાશ જેવું.
રૂમને જુએ તો રૂમ, આકાશને જુએ તો આકાશ. ‘જ્ઞાન’ એક જ છે, એના ભાગ બધા જુદા જુદા છે. આપણે આ ‘રૂમ’ને જોઈએ તો ‘રૂમ' ને ‘આકાશ’ને જોઈએ તો ‘આકાશ’, પણ ‘જ્ઞાન' તેનું તે જ ! જ્યાં સુધી આ વિશેષ જ્ઞાન જુએ, સાંસારિક જ્ઞાન જુએ, ત્યાં સુધી આત્મા દેખાય જ